Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં શ્વાનનાં હુમલાથી 5 રહીશો ઘાયલ.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના શાંતિનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનનું લાવારીશ-ઘાયલ બચ્ચું ફરી રહ્યું છે, અને માનવ વસ્તી ઉપર ઉપર હિંસક હુમલાવર થઇ રહ્યું છે, એકાએક બપોરના સમયે શ્વાનના બચ્ચાએ શાંતીનગર વિસ્તારના પાંચ જેટલા રહીશો ઉપર હુમલો કરી દીધો હતો, એટલે કે શ્વાનનું બચ્ચું પાંચ જેટલા રહીશો કરડ્યું હતું, હાથ-પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તમામ ઇજાગ્રસ્તને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા, જેમાં એક ઇજાગ્રસ્તને વધુ સારવારની જરૂર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, શ્વાનના હુમલાના ઘેરા પ્રત્યાઘાતો શાંતિનગર વિસ્તારના રહીશો સહિત ગ્રામજનોમાં પડતા ભયનો માહોલ જણાઇ રહ્યો છે, ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ એલ.સી.બી. એ વેડચમાંથી પત્તા પાનાનાં જુગારની સફળ રેઇડ કરીને સાત જુગારીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

રાજપીપળા : ચૈત્ર માસમાં લીમડાનાં રસનું સેવન કરતા નર્મદાવાસીઓ..

ProudOfGujarat

વિરમગામ શહેરમાં માનવતા મહેંકી ઉઠી, ગંભીર બિમારીથી પીડાઇ રહેલ નિરાઘાર વ્યકિત ને નિશુઃલ્ક સારવાર આપી જીવન બચાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!