Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ઝનોર ગામના રહેવાસીઓને પાણી મેળવવા વેઠવું પડે છે જીવનું જોખમ

Share

ભરૂચ જિલ્લાની નર્મદા નદીના કિનારે વસવાટ કરતાં ઝનોરના રહેવાસીઓને પાણી મેળવવા માટે જીવનું જોખમ ખેડવું પડે છે. આ વિસ્તારમાં વસવાટ કરતાં લોકોએ મીડીયા સમક્ષ જણાવ્યું કે અમોને ઘેર-ઘેર પાણી મળતું નથી. આથી અમારે અહીં જીવના જોખમે પાણી મેળવવું પડે છે. ભરૂચ નર્મદા કિનારે વસેલા ઝનોરમાં પીવાનું પાણી મેંળવવું જીવનું જોખમ ખેડવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. ઝનોરમાં ૧૦ ફૂટ ઉંચાઈએ વાવમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન માં લિકેજમાંથી ઝૂકીને પાણી ભરે છે. અહીંના રહેવાસીઓ આ વિસ્તારમાં આવેલ વાવમાંથી પસાર થતી પાઇપલાઇન માંથી જીવના જોખમે ૧૦ ફૂટની ઉંચાઈએ જુકીને પાણી ભરવું પડે છે.

અહીંના વિસ્તારમાં રહેતા બહેનોએ મીડિયા સમક્ષ પોતાની આપ વીતી જણાવતા કહ્યું હતું કે સવારે ઉઠતાની સાથે જ પાણીતો જોઈએ. અમો મજૂરી કામ કરનારાએ આથી ખેતરે કામ કરવું કે અહીંથી પાણી ભરવુ. અમારી સરકાર કે ઉચ્ચ અધિકારીઓ લઈ દરકાર લેવામાં આવતી નથી. અમારા પાણીના વિકલ્પની સમસ્યા વિશે કોઈ સરકારી લોકો વિચારેતો અમારી આ સમસ્યાનું નિરાકરણ થાય.
ui

Advertisement

Share

Related posts

નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારૂં આયોજન માટેની બેઠક સંપન્ન

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે એપલ કંપનીના એસેસરીઝનું વેચાણ કરતા છ દુકાનદારોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

રિલાયન્સએ ગૂગલની સાથે મળીને લોન્ચ કર્યો જિયોફોન નેક્સ્ટ, જાણો ક્યારથી શરૂ થશે વેચાણ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!