Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચની એક શાળાનાં આચાર્યએ વિશ્વ કોરોના મુક્ત થાય તે માટે માતાજીની આરાધના કરતો અદભુત વિડીયો રજુ કર્યો…

Share

– કોરોનાથી બચવા માટે તમામ પ્રયાસો બાદ હવે એક જ ઉપાય છે અને તે છે માતાજીની આરાધના..

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી એ લોકોના હાલ બેહાલ કર્યા છે ત્યારે દસ મહિનાથી કોરોનાની મહામારી વચ્ચે લોકો વિતાવી રહ્યા છે ત્યારે હવે સમગ્ર વિશ્વને કોરોના મુક્ત કરવા માટે કોઈ વૈકલ્પિક હોય તો તે છે ભગવાન ઈશ્વર જેના કારણે ભરૂચની એક શાળાના આચાર્ય માતાજીની સમક્ષ પોતાની અરજી રજૂ કરતો એક અદભુત ભક્તિ કરતો એક વીડિયો રજૂ કરાયો છે.

છેલ્લા દસ મહિનાથી લોકો કોરોનાની મહામારી વચ્ચે દિવસો વિતાવી રહ્યા છે અનેક લોકોની હાલત કફોડી બની છે ત્યારે કોરોનાથી મુક્તિ મેળવવા માટે તમામ દ્વારો બંધ છે ત્યારે માત્ર એક જ દ્વાર ખુલ્લો હોય તો તે છે માતાજીની પૂજા અર્ચના આરાધના ભક્તિ જેના થકી ભગવાનને તેઓના સંતાનને સુરક્ષિત રાખવા માટે અરજ કરી શકાય જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારની નિધિ વિદ્યાભવનના આચાર્ય ગીતાબેન બેનર્જીએ સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તે માટે માતાજીની આરાધના કરતો એક અદભુત વીડિયો રજુ કર્યો છે જે લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

Advertisement

વીડિયોમાં ગીતાબેન બેનર્જી માતાજીને દુઃખ સાથે અરજ કરે છે હે માં તારા સંતાનોને કોરોનાથી બચાવી લે અને સમગ્ર વિશ્વ ફરી પહેલા જેવું કરી દે.. ગીતાબેન બેનર્જી કઈ રીતે માતાજીની પાસે સમગ્ર વિશ્વમાંથી કોરોના મુક્ત કરવા માટે આજીજી કરી રહ્યા છે.


Share

Related posts

આવનારા દિવસોમાં ભરૂચ જીલ્લામાં પ્રદૂષણનાં કારણે અસ્થમાનાં દર્દીઓ વધે તેવી સંભાવના…

ProudOfGujarat

ભારતમાં બે સપ્તાહનું લોકડાઉન લાદવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યું સૂચન…

ProudOfGujarat

જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા અટકાવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!