Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં અવાદર ગામમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ.

Share

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં અવાદર ગામે દીપડાએ આતંક મચાવતા વનવિભાગ દ્વારા દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ભરૂચનાં આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દીપડાનો સ્થાનિકોને ભય રહે છે. ભરૂચનાં વાલિયાનાં કરસડિયામાં ગઇકાલે દીપડો દેખાતા આજે અંકલેશ્વરનાં અવાદર ગામે દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અવાદર ગામમાં દીપડાએ બકરીનો શિકાર કરવા હુમલો કર્યો હતો જે હુમલો જોતાં આજુબાજુમાં ખેતરમાં કામ કરતાં લોકોએ બૂમો પાડતા દીપડાએ બકરીને છોડી હતી ત્યારબાદ દીપડો ભાગીને નાળામાં ધૂસી ગયો હતો. આથી ખેતરમાં કામ કરતાં મજૂરો દ્વારા નાળુ બંધ કરી વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગ દ્વારા દીપડાને પકડી પાડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે.

અવાદર ગામમાં દીપડો દેખાતા ગામનાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ વનવિભાગની ટીમે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઉજ્જિવન સ્મોલ ફાયનાન્સ બેંકએ વ્યક્તિગત લોન પૂરી પાડવા માટે નીરા (NIRA) ની સાથે ભાગીદારી કરી.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાનો સીધો આક્ષેપ : ગણેશ સુગરનો વહીવટ ભારતીય જનતા પાર્ટીએ લેવો છે.

ProudOfGujarat

અંકલેશ્વર- અંતરનાથ મહાદેવ મંદિર ખાતે ગતરોજ ત્રણ હજારથી પણ વધુ કમળના ફૂલ ચઢાવવામાં આવ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!