Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ફરિયાદનો મામલો, ન્યાય નહીં મળે તો આદિવાસીઓ રસ્તા પર આવશે : શેરખાન પઠાણ

Share

ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે સરકારી અધિકારીઓ ઉપર હુમલો કરવા અને અભદ્ર વ્યવહાર કરવા બદલ તાજેતરમાં જ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ફરિયાદ બાદ ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તો બીજી તરફ મામલે રાજકારણ પણ ગરમાયું છે.

તેવામાં કોંગ્રેસના લોકસભામાં પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવામાં સમર્થનમાં પહોંચ્યા હતા અને જે ખેતર મામલે આખો ઘટનાક્રમ સર્જાયો હતો તે ખેતરની સ્થળ મુલાકાત કરી હતી તેમજ મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદ થઈ હોવાના આક્ષેપ કર્યા હતા.

Advertisement

સાથે સાથે શેરખાન પઠાણ દ્વારા મામલે ચીમકી ઉચ્ચાર વામાં આવી હતી કે જો આગામી દિવસોમાં ચૈતર વસાવાને ન્યાય નહીં મળે તો ઉંમરગામથી અંબાજી સુધીના આદિવાસીઓ રસ્તા પર ઉતરશે અને ન્યાયની માંગ કરશે તેમ જણાવ્યું હતું.


Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ઘી પાનેશ્વર દુધ ઉત્પાદક મંડળી 50મી સાધારણ સભા પંચવટીહોલ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાય હતી.

ProudOfGujarat

ભરૂચ : રાજયમાં વિદ્યાર્થિનીએ પ્રથમ ક્રમ મેળવી અંકલેશ્વરને ગૌરવ અપાવ્યું જાણો કેવી રીતે ?

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિનની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!