Proud of Gujarat
FeaturedGujaratINDIA

આચારસંહિતા લાગુ છે ત્યારે રાજપીપળાનાં કેટલાક વિસ્તારોમાં પક્ષના ઝંડા તોરણીયા : આચારસંહિતાને ઘોળી પી ગયા ???

Share

નર્મદા જિલ્લામાં ચૂંટણીઓ માટે ઉમેદવારીપત્રો ભરાઈ ગયા છે હાલ આચારસંહિતા લાગુ છે તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસના ઝંડા લગાવેલા હોય આ બાબતે અપક્ષ ઉમેદવાર મહેશભાઈ વસાવાએ વિરોધ નોંધાવ્યો છે તેઓએ આ બાબતે જણાવ્યું છે કે આચારસંહિતા લાગુ છે છતાં પણ ભાજપના અને કોંગ્રેસના ઝંડાઓ કેટલાક વિસ્તારોમાં લાગે છે તો આ બાબતે તંત્ર કેમ ચૂપ છે તેવો આક્ષેપ કર્યો છે. આજે ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોને પ્રતીકની ફાળવણી કરાઈ હતી હજી પ્રચાર માટે આદેશ આપ્યા નથી છતાં રાજપીપળાના મોટાભાગના વિસ્તારોમાં ભાજપના ઝંડા અને તોરણીયા જોવા મળતા પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેશભાઈ વસાવા સહિત અપક્ષ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે તેમજ તંત્ર આ બાબતે ગંભીરતાથી પગલાં લે તેવી માંગ કરી છે.

આરીફ જી કુરેશી : રાજપીપળા

Advertisement

Share

Related posts

નર્મદા ડેમમાં પાણીના આઉટફ્લોની પરિસ્થિતિને અનુલક્ષીને ભરૂચ જિલ્લા વહિવટીતંત્ર સાબદું.

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા સ્વબચાવ કામગીરી વિશે તાલીમ અપાઈ.

ProudOfGujarat

લીંબડીમાં સરેઆમ વેચવામાં આવતા દારૂના આક્ષેપ સાથે રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!