Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડિયાની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં આગ બાદ બ્લાસ્ટમાં 4 કામદારો ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચનાં ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં આજે સવારના સમયે અચાનક બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી, ઘટનામાં ચાર જેટલા કામદારો ગંભીર રીતે દાઝી જતા તમામને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

રીએક્ટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાના કારણે કામદારો દાઝી ગયા હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, જોકે હાલ સુધી કંપની સત્તાધીશો તરફથી દુર્ઘટના અંગેનાં કારણો બાબતે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. મહત્વનું છે કે ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ અનેક કંપનીઓમાં અવારનવાર આ પ્રકારના અકસ્માતનાં બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે જેમાં કામદારોનાં જીવનું જોખમ ઉભું થાય છે.

હાલ તો તમામ ઘાયલ કામદારોને સારવાર અર્થે ખસેડી ફેકટરી ઇન્સ્પેકટર સહિત ઝઘડીયા પોલીસે મામલા અંગે વધુ તપાસ હાથધરી છે અને કંપનીમાં સમગ્ર ઘટના કઈ રીતે સર્જાઈ છે તે તમામ દિશામાં તપાસનાં ધમધમાટ શરૂ કર્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં કોરોના વિસ્ફોટ-એકસાથે ૭ પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat

શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત નવનિર્માણિત થઈ રહેલ જીએસ કુમાર વિદ્યાલયના ઉદ્ઘાટન માટે કોરિયોગ્રાફર બોલાવી વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારની ટ્રેડિંગ આપવામાં આવી રહી છે

ProudOfGujarat

રિક્ષા માંથી જંગી જથ્થામાં વિદેશી દારૂ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!