Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : હજરત ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફની સાંસરોદ દરગાહ શરીફ ખાતે શાનદાર ઉજવણી કરાઇ હતી.

Share

રાજસ્થાનનાં અજમેર સ્થિત સુપ્રસિદ્ધ સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની છઠ્ઠી શરીફની પાલેજ નજીક આવેલા સાંસરોદ સ્થિત દરગાહ શરીફ ખાતે શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફ ખાતે ફાતેહા તેમજ દુરુદ શરીફનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

ત્યારબાદ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે વિશેષ દુઆ માંગવામાં આવી હતી. દરગાહ શરીફ ખાતે ભોજનની પણ વ્યવસ્થા સંચાલકો દ્વારા કરાઇ હતી. છઠ્ઠી શરીફની ઉજવણીમાં મોટી સંખ્યામાં અકિદતમંદો જોડાયા હતા. ખૂબ જ ઉલ્લાસભેર હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની છઠ્ઠી શરીફની ઉજવણી કરાઇ હતી.

યાકુબ પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

વડતાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મધ્યઝોન જિલ્લા પંચાયતના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ

ProudOfGujarat

અંક્લેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ટેમ્પો- ટ્રક વચ્ચે અકસ્માતમાં ટેમ્પો ચાલકનું મોત

ProudOfGujarat

“વિશ્વ પર્યાવરણ દિવસ 2023 પર સીરત કપૂર કહે છે”, “આપણે યાદ રાખવું જોઈએ કે પર્યાવરણ દિવસ માત્ર એક દિવસ નથી તે આપણા રોજિંદા જીવનનો એક મૂલ્યવાન ભાગ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!