Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં વીજ પુરવઠો બંધ થતાં લોકો પરેશાનીમાં મુકાયા.

Share

આજે ભરૂચનાં અનેક વિસ્તારોમાં વીજ કાપ કરવામાં આવ્યો છે જેના કારણે ઇલેક્ટ્રોનિક પર ચાલતા વ્યવસાયો બંધ રહેતા લોકો પરેશાનીમાં મુકાયા હતા.

આજે ભરૂચમાં ડી.જી.વી.સી.એેલ. દ્વારા વીજ કાપ મેન્ટેનન્સ માટે સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેતા અડધા ભરૂચમાં લોકો ગરમીમાં શેકાયા હતા. ભારે ગરમીના કારણે લોકો તાપમાં વીજ પુરવઠો બંધ રહેતા અકળાય ગયા હતા. તો બીજી તરફ ઝેરોક્ષ મશીન તેમજ અન્ય ઇલેક્ટ્રોનિકથી ચાલતા વ્યવસાયો બંધ રહેતા લોકોના કામ અટવાયા હતા. વિજકાપના કારણે વડીલો, બાળકો, ગૃહિણીઓ પણ પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. હાલ ગરમીની સીઝન હો વીજકાપ રહેતા લોકોની પરેશાનીમાં વધારો થયો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ દ્વારા સ્વચ્છતા રેલી યોજાઇ…

ProudOfGujarat

ભરૂચ : સાઉથ આફ્રિકામાં કોરોના વકરતા ભારતીયો મુકાયા ચિંતામાં…

ProudOfGujarat

પશ્ચિમમાં વિકાસ – ભરૂચ મહંમદપુરા ટ્રાયએન્ગલ બ્રિજની કામગીરીનું કાઉન્ટ ડાઉન શરૂ, આવતી કાલથી થઈ શકે છે કામગીરીની શરૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!