Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં વીજ પુરવઠો બંધ થતાં લોકો પરેશાનીમાં મુકાયા.

Share

આજે ભરૂચનાં અનેક વિસ્તારોમાં વીજ કાપ કરવામાં આવ્યો છે જેના કારણે ઇલેક્ટ્રોનિક પર ચાલતા વ્યવસાયો બંધ રહેતા લોકો પરેશાનીમાં મુકાયા હતા.

આજે ભરૂચમાં ડી.જી.વી.સી.એેલ. દ્વારા વીજ કાપ મેન્ટેનન્સ માટે સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેતા અડધા ભરૂચમાં લોકો ગરમીમાં શેકાયા હતા. ભારે ગરમીના કારણે લોકો તાપમાં વીજ પુરવઠો બંધ રહેતા અકળાય ગયા હતા. તો બીજી તરફ ઝેરોક્ષ મશીન તેમજ અન્ય ઇલેક્ટ્રોનિકથી ચાલતા વ્યવસાયો બંધ રહેતા લોકોના કામ અટવાયા હતા. વિજકાપના કારણે વડીલો, બાળકો, ગૃહિણીઓ પણ પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. હાલ ગરમીની સીઝન હો વીજકાપ રહેતા લોકોની પરેશાનીમાં વધારો થયો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ ઉમરપાડા તાલુકામાં રસ્તાના વિકાસના કામો મંજુર કરતી રાજય સ૨કા૨.

ProudOfGujarat

આજે અંગારિકા સંકષ્ટ ચતુર્થી : ભરૂચના મકતમપુર ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે વિધ્નહર્તાના લોકોએ દર્શન કર્યા.

ProudOfGujarat

ઝઘડીયા નજીક કન્ટેનરના ચાલક સાથે બે ઇસમો બાખડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!