Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : વાડી સુરત એસ.ટી બસને જુના સમય મુજબ સુરતથી ઉપાડવા માંડવી એસ.ટી ડેપોનાં મેનેજરને મુસાફરોએ લેખિત રજૂઆત કરી.

Share

માંગરોળ અને ઉમરપાડા તાલુકાના મુસાફરોએ વાડી સુરત એસ.ટી બસને જુના સમયપત્રક મુજબ સાંજે સાત વાગ્યે સુરત સેન્ટ્રલ એસ.ટી ડેપોથી ઉપાડવાની માંગ સાથે મુસાફરોએ માંડવી એસ.ટી ડેપોના મેનેજરને લેખિત રજૂઆત કરી છે.

કોરોના કાળનાં કારણે ગયા વર્ષે કેટલાક એસ.ટી બસના રૂટનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ હાલમાં લોકડાઉન ખુલી ગયું હોય ત્યારે વર્ષો જુના વાડી સુરત એસ.ટી રૂટને અગાઉના સમય મુજબ દોડાવવામાં આવે તે જરૂરી છે. સાંજે સાત વાગ્યે વાડી સુરત એસ.ટી બસ સુરતથી ઉપડતી હતી આ સમયમાં લોકડાઉનને કારણે ફેરફાર કરી આ એસ.ટી.બસને 5:30 વાગ્યે સુરતથી ઉપાડવામાં આવે છે અને સાથે સુરત નેત્રંગ એસ.ટી બસને 6:00 વાગ્યે ઉપાડવામાં આવે છે જ્યારે નોકરી-ધંધા માટે કાયમી સુરત જતા મુસાફરોને સાંજે છ વાગ્યે નોકરી પરથી છોડવામાં આવે છે. આ રૂટનો લાભ બંને તાલુકાના મહત્તમ પેસેન્જરોને મળતો નથી વધુમાં એસ.ટી વિભાગ દ્વારા માંગરોળ ઉમરપાડાનાં મુસાફરો માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે નોકરી ધંધો કરતા એસ.ટી બસના કાયમી મુસાફરો મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે જવાબદારી અધિકારીઓ દ્વારા મુસાફરોની અરજીને ધ્યાનમાં લઇ વાડી સુરત એસ.ટી બસ સુરતથી ઉપાડવાનો સમય બદલી સાંજે સાત વાગ્યે સેન્ટ્રલ એસ.ટી ડેપોથી સુરત વાડી એસ.ટી બસને ઉપાડવામાં આવે તે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો ?

ProudOfGujarat

વિશ્વની મોટી ઔદ્યોગિક વસાહતોમાં ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પૂર્ણ સમયનાં નોટિફાઇડ એરિયા ઓફિસરની નિમણૂક કયારે થશે ?

ProudOfGujarat

ફિલાટેક્ષ ઈન્ડિયા લિમિટેડનાં સૌજન્યથી જીવન જરૂરી કીટ ગરીબ વિધવા બહેનો તથા જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!