Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું.

Share

દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યુ છે. હાલમાં કોરોનાની બીજી લહેર ઝડપભેર ફેલાઈ રહી છે, ત્યારે ભારતમાં બનેલી સ્વદેશી કોરોના વેક્સિનનો ડોઝ દેશના તમામ નાગરિક સુધી પહોંચી શકે તે માટે સરકાર દ્વારા મહા અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ સંદર્ભે આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ગોવાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અત્રે આયોજિત કોરોના વેક્સીનના કાર્યક્રમના પહેલા દિવસે રાણીપુરા ગામના ૫૦ થી વધુ લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. રવિવાર હોવા છતાં ગોવાલી પી.એસ.સી દ્વારા કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને વધુમાં જાણવા મળ્યા મુજબ સોમવારે પણ કોરોનાનું વેકસીનેશન ચાલુ રહેશે. ત્રણ દિવસ ચાલનારા વેકસીનેશનના કાર્યક્રમમાં રાણીપુરા ખાતે વેકસીન પ્રત્યે સારો‌ પ્રતિસાદ જોવા મળ્યો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

વિરમગામના ધારાસભ્ય દ્વારા બાળ સેવા કેન્દ્ર, સા.આ.કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફિસની મુલાકાત લેવામાં આવી.

ProudOfGujarat

આઈપીએલમાં ફરી કોરોનાની એન્ટ્રી: સનરાઇઝર્સનો ફાસ્ટ બોલર ટી.નટરાજન કોરોના પોઝિટિવ

ProudOfGujarat

ઝાડેશ્વર નજીક નર્મદા ગાર્ડનમાં ઝાડીઓમાં રમાતાં જુગાર પર એલસીબીની રેડ: 3 ઝડપાયા, 2 ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!