Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાનાં ગોવાલી નજીક નર્મદામાં નહાવા પડેલ ૧૪ વર્ષનાં કિશોરનું ડૂબી જતાં મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી નજીક નર્મદામાં ડુબી જતા એક કિશોરનું મોત નીપજ્યુ હતુ. આ અંગે મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના મીરાનગર ભરવાડ ફળીયામાં રહેતા ભરત મીઠાભાઇ મારૂ ઉંમર વર્ષ ૧૪ તથા લવઘણ સારાભાઈ ભરવાડ અને ગોપાલ સાજનભાઈ સિંધવ ગઇકાલે ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના બેટ ખાતે ફરવા માટે ગયા હતા. ગોવાલી બેટ ખાતે ફરવા ગયેલા પૈકી ભરત તથા ગોપાલ નર્મદા નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. દરમિયાન નર્મદામાં નાહી રહેલા ભરત તથા ગોપાલ ડુબવા લાગ્યા હતા. ડુબી રહેલા બે પૈકી ગોપાલને બચાવી લેવામાં સફળતા મળી હતી. જ્યારે ભરતનો કોઈ પતો મળ્યો ન હતો. નર્મદામાં ડૂબી ગયેલ ભરતની શોધખોળ કરવામાં આવી હતી, પણ તેનો કોઇ પતો મળ્યો ન હતો. ઘટનાના ૧૨ કલાક બાદ ભરત મીઠાભાઇ મારૂનો મૃતદેહ આજે વહેલી સવારે ગોવાલી બેટ ખાતેથી મળી આવ્યો હતો. ૧૪ વર્ષીય ભરત નામનો કિશોર ડુબી જવાની ઘટના બાબતે રાજુભાઈ છેલાભાઈ ભરવાડ રહે. સારંગપુર અંકલેશ્વર નાએ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

“અંકલેશ્વર-હાંસોટ વિસ્તારમાં નહેરો ચાલુ થતાં જ હાલ માં જ સિમેન્ટ કોંક્રેટ કરાયેલ નહેરમાં ભંગાર સર્જાતા ખેડૂતો અને ઉદ્યોગપતિઓ મા નહેર ખાતા દ્વારા કરવામાં આવેલ કામગીરી સામે રોષ અને શંકા”

ProudOfGujarat

ભરૂચ શહેર કોંગ્રેસના અગ્રણી કાર્યકર દિનેશ અડવાણી ઉપર અસામાજીક તત્વો દ્વારા ઘાતક હુમલો થતા કડક કાર્યવાહી અંગે સંદીપ માંગરોલા દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત.

ProudOfGujarat

CDS બિપિન રાવતના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને નડયો અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!