Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાનાં ગોવાલી નજીક નર્મદામાં નહાવા પડેલ ૧૪ વર્ષનાં કિશોરનું ડૂબી જતાં મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી નજીક નર્મદામાં ડુબી જતા એક કિશોરનું મોત નીપજ્યુ હતુ. આ અંગે મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના મીરાનગર ભરવાડ ફળીયામાં રહેતા ભરત મીઠાભાઇ મારૂ ઉંમર વર્ષ ૧૪ તથા લવઘણ સારાભાઈ ભરવાડ અને ગોપાલ સાજનભાઈ સિંધવ ગઇકાલે ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના બેટ ખાતે ફરવા માટે ગયા હતા. ગોવાલી બેટ ખાતે ફરવા ગયેલા પૈકી ભરત તથા ગોપાલ નર્મદા નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. દરમિયાન નર્મદામાં નાહી રહેલા ભરત તથા ગોપાલ ડુબવા લાગ્યા હતા. ડુબી રહેલા બે પૈકી ગોપાલને બચાવી લેવામાં સફળતા મળી હતી. જ્યારે ભરતનો કોઈ પતો મળ્યો ન હતો. નર્મદામાં ડૂબી ગયેલ ભરતની શોધખોળ કરવામાં આવી હતી, પણ તેનો કોઇ પતો મળ્યો ન હતો. ઘટનાના ૧૨ કલાક બાદ ભરત મીઠાભાઇ મારૂનો મૃતદેહ આજે વહેલી સવારે ગોવાલી બેટ ખાતેથી મળી આવ્યો હતો. ૧૪ વર્ષીય ભરત નામનો કિશોર ડુબી જવાની ઘટના બાબતે રાજુભાઈ છેલાભાઈ ભરવાડ રહે. સારંગપુર અંકલેશ્વર નાએ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચના ગણેશ ટાઉનશિપમાં કોબ્રા સાપ નીકળતા રેસ્ક્યુ કરાયું

ProudOfGujarat

નડિયાદ : કાજીપુર નજીક આવેલી કંપનીમાં વેસ્ટેજ સ્લજ કાઢવા ગયેલા 3 વર્કરો બેભાન થયા.

ProudOfGujarat

નર્મદામાં આવતીકાલથી દશામાના વ્રતનો પ્રારંભ : લીમડાચોક ખાતે મૂર્તિ વેચાણનો મેળો ભરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!