Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં સ્મશાને આવતા કોરોનાનાં મૃતદેહોને અટકાવતાં રહીશો.

Share

લીંબડીનાં સ્મશાનગૃહમાં લઈ જવામાં આવતા મૃતદેહમાંથી લીંબડીના અમુક વિસ્તારોમાં બદબુ આવતા રહેવાસીઓ દ્વારા સ્મશાન ગૃહે લઈ જવાતા મૃતદેહોને રોકવામાં આવ્યા હતાં.

મળતી વિગતો અનુસાર હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારી હોય ત્યારે કોરોનામાં મૃત્યુ પામતા લોકોને સ્મશાન ગૃહે લઈ જવામાં આવતા હોય, ત્યારે લીંબડીમાં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતદેહો સ્મશાને લઈ જવાથી અમુક વિસ્તારોમાં બદબુનો માહોલ ફેલાતા આ વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના મૃતદેહને અડધા મૃતદેહને સળગાવીને લોકો જતા હોય છે આથી લીંબડીના સામે કાંઠે આવેલા સ્મશાનગૃહમાં અને આસપાસના વિસ્તારોમાં બદબુ અનુભવાય છે આથી આ વિસ્તારના રહીશોએ અહીં મૃતદેહને લાવવામાં આવતા રોકવામાં આવ્યા હતા અને સ્મશાનનાં દરવાજા પર તાળું મારી દેવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેન અડફેટે અજાણ્યા અાધેડનું કરૂણ મોત…

ProudOfGujarat

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે પ્રાંત કક્ષાનો “વિશ્વાસથી વિકાસ” યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદાનું આરોગ્ય તંત્ર કોરોનાથી થતાં મોતનાં આંકડા કેમ છુપાવે છે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!