Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં સ્મશાને આવતા કોરોનાનાં મૃતદેહોને અટકાવતાં રહીશો.

Share

લીંબડીનાં સ્મશાનગૃહમાં લઈ જવામાં આવતા મૃતદેહમાંથી લીંબડીના અમુક વિસ્તારોમાં બદબુ આવતા રહેવાસીઓ દ્વારા સ્મશાન ગૃહે લઈ જવાતા મૃતદેહોને રોકવામાં આવ્યા હતાં.

મળતી વિગતો અનુસાર હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારી હોય ત્યારે કોરોનામાં મૃત્યુ પામતા લોકોને સ્મશાન ગૃહે લઈ જવામાં આવતા હોય, ત્યારે લીંબડીમાં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતદેહો સ્મશાને લઈ જવાથી અમુક વિસ્તારોમાં બદબુનો માહોલ ફેલાતા આ વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના મૃતદેહને અડધા મૃતદેહને સળગાવીને લોકો જતા હોય છે આથી લીંબડીના સામે કાંઠે આવેલા સ્મશાનગૃહમાં અને આસપાસના વિસ્તારોમાં બદબુ અનુભવાય છે આથી આ વિસ્તારના રહીશોએ અહીં મૃતદેહને લાવવામાં આવતા રોકવામાં આવ્યા હતા અને સ્મશાનનાં દરવાજા પર તાળું મારી દેવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ : કપડવંજ તાલુકાના ભૂગળીયા પાસે બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

26 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદની કર્ણાવતી ક્લબમાં ગરબો ગોળ ફર્યો!

ProudOfGujarat

વડોદરાનાં મહાકાલ નગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 9 જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!