Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા જેલમા કેદીઓ માટે સત્સંગ કાર્યક્રમનુ આયોજન

Share

ગોધરા
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી સબજેલ ખાતે સાવન કૃપાલ રુહાની મિશન સંસ્થા,ગોધરા દ્વારા કેદીઓ માટે આધ્યામિક સંતસંગ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૩૦૦ જેટલા કેદીઓએ તેનો લાભ લીધો હતો.
માણસ જ્યારે ગુનોકરે અને કાયદાના સંકજામા આવે અને સજા થાય ત્યારે જેલમા મોકલવામા આવે છે જેલ એક પોતાના ગુનાઓનુ પ્રાયશ્ચિત કરવાનુ એક સ્થળ છે. આવા સજા ભોગવી રહેલા કેદીઓ માટે ગોધરાની સાવન કૃપાલ મિશન રુહાની સંસ્થા દ્વારા સંત્સંગ કાર્યક્રમનુ આયોજન ગોધરાની સબજેલમા કરવામા આવ્યુ હતુ. જેમા વક્તા પ્રભુજી ગઢવી દ્વારા આધ્યાત્મિકતાના પાઠ ભણાવામા આવ્યા હતા. તેમજ ધ્યાન યોગ પણ કરાવામા આવ્યા હતા.તેમજ કેદીઓને જેલમાથી છુટીને ગુનાઓની દુનિયામા ફરી નહી જવા અને સારી જીંદગી જીવવા માટે સુચન કરવામા આવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

વાગરામાં બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર ગોંધી રાખેલ યુવતીને સુરક્ષિત બહાર લાવતી પોલીસ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાન‍ા ગ્રામીણ વિસ્તારોમાં બસ સેવા વિકસાવવા માંગ.

ProudOfGujarat

વડોદરા શહેરમાં હત્યામાં પકડાયેલાં આરોપીઓએ કહ્યું ‘અમે દાદા નથી, ગાય છીએ’…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!