Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા જેલમા કેદીઓ માટે સત્સંગ કાર્યક્રમનુ આયોજન

Share

ગોધરા
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી સબજેલ ખાતે સાવન કૃપાલ રુહાની મિશન સંસ્થા,ગોધરા દ્વારા કેદીઓ માટે આધ્યામિક સંતસંગ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૩૦૦ જેટલા કેદીઓએ તેનો લાભ લીધો હતો.
માણસ જ્યારે ગુનોકરે અને કાયદાના સંકજામા આવે અને સજા થાય ત્યારે જેલમા મોકલવામા આવે છે જેલ એક પોતાના ગુનાઓનુ પ્રાયશ્ચિત કરવાનુ એક સ્થળ છે. આવા સજા ભોગવી રહેલા કેદીઓ માટે ગોધરાની સાવન કૃપાલ મિશન રુહાની સંસ્થા દ્વારા સંત્સંગ કાર્યક્રમનુ આયોજન ગોધરાની સબજેલમા કરવામા આવ્યુ હતુ. જેમા વક્તા પ્રભુજી ગઢવી દ્વારા આધ્યાત્મિકતાના પાઠ ભણાવામા આવ્યા હતા. તેમજ ધ્યાન યોગ પણ કરાવામા આવ્યા હતા.તેમજ કેદીઓને જેલમાથી છુટીને ગુનાઓની દુનિયામા ફરી નહી જવા અને સારી જીંદગી જીવવા માટે સુચન કરવામા આવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અંતર્ગત શ્રેષ્ઠ ભારત ભવનની કામગીરી હજુ અધૂરી, 31 ઓક્ટોબર પહેલા નહીં થાય પૂર્ણ

ProudOfGujarat

પંચમહાલ સહિત મહિસાગર દાહોદ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ સારું રહેતા ઘઉંની બમ્પર ઉત્પાદન થવાની આશા.

ProudOfGujarat

કરજણ ડેમ સાઈટ પર તાજેતરમાં બે લોકો તણાઈ જવાની દુર્ધટના બાદ તંત્ર જાગ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!