Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડીમાં ચાર દિવસ ગ્રાહકોની ભીડ નહિ જામતા સંક્રમણ ઘટવાની આશા…

Share

કોરોના સંક્રમણની ચેનને આગળ વધતી અટકાવવા ઠેરઠેર સ્વેચ્છિક લોકડાઉનો કરાતા દેખાઇ રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ અને પંથકના ગામોમાં પણ ઘણાબધા કોરોના પોઝિટિવ કેસો બહાર આવતા આ વિસ્તારમાં કોરોના સંક્રમણ ઝડપથી વધે એવી દહેશત ઉભી થવા પામી હતી.

ઉલ્લેખનીય છેકે રાજપારડી નગર તેની આજુબાજુના અસંખ્ય ગામડાઓ સાથે ધંધાકીય સંબંધો ધરાવતુ મહત્વનું વેપારી મથક હોઇ, આજુબાજુની ગ્રામીણ જનતાની રાજપારડીમાં રોજિંદી હાજરી દેખાતી હોય છે. દુકાનો પર જામતી ભીડને કારણે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ શકે એવી દહેશતને લઇને રાજપારડીના કાર્યકારી સરપંચ પી.સી.પટેલ અને ગામ અગ્રણી ભુપતસિંહ કેસરોલાએ સંયુક્ત એલાન કરીને રાજપારડીના બજારને તા.૧૫ મીથી લઇને તા.૧૮ મી સુધી સંપૂર્ણપણે બંધ રાખવાની અપીલ કરી હતી. આ લખાય છે ત્યારે આજે આ ચાર દિવસીય સ્થાનિક સ્વયંભુ લોકડાઉનના પ્રથમ દિવસે દવાઓ, દુધ અને ફળોને બાદ કરતા રાજપારડીના બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે દવાઓ, દુધ અને ફળોની નાનીમોટી બિમારીઓમાં જરૂર પડતી હોય છે, વળી હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલતો હોઇ, દુધ અને ફળોની રોજા ઇફતારી સમયે જરૂર અનુભવાય છે. રાજપારડી નગરમાં ચાર દિવસીય સ્વયંભુ લોકડાઉનના પહેલા દિવસે સ્થાનિક તંત્રની અપીલને વેપારીઓએ પૂરો સહયોગ આપીને નિભાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

“આપું વાલા સય” સમજી મત ન આપતા:એહમદ પટેલે કોને કટાક્ષમાં કહ્યું,જુઓ વિડીયો.

ProudOfGujarat

ભરૂચના સાયર અને વેલુગામની રેતીની લીઝો ચાલુ કરવાણી માંગ સાથે વડોદરા કલેક્ટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વરના ગોયા બજાર સ્થિત પીએમ હજારીવાલા સ્ટોર માંથી ગેરકાયદેસર અને ચેતવણી વગર ના ઇન્ટરનેશનલ win “King Size” સિગરેટ ના જથ્થા સાથે દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!