Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ઉધનામાં મકાનનો સ્લેબ ધરાશાયી થતાં બે નાં મોત.

Share

સુરતનાં ઉધના વિસ્તારમાં રાત્રિનાં સમયે અચાનક જ મકાનનો સ્લેબ ધરાશાયી થતાં એક પરિવારનાં ચાર લોકો કાટમાળ નીચે દબાયા હોવાની વિગતો સામે આવી છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર સુરતનાં ઉધના વિસ્તારમાં અરબ નગરમાં એક મકાનનો સ્લેબ અચાનક જ ધરાશાયી થતાં બાળકો કાટમાળ નીચે ફસાઈ જતાં મોત થયું હોવાની વિગતો સાંપડી છે. આ મકાનમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓ કાટમાળમાં દટાયા પરંતુ માતા-પિતા પલંગ ઉપર સૂતેલા હોવાથી તેમનો બચાવ થયો હતો. તમામ બનાવની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યુ કરી કાટમાળમાં દટાઈ ગયેલ લોકોને બહાર કાઢી તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં બે બાળકોનું કાટમાળમાં દટાઈ જવાથી મોત થયાની વિગતો ફાયર સ્ટાફે આપી હતી.

Advertisement

Share

Related posts

પી.એમના કાર્યક્રમના બીજા દિવસે સુરત અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરની કરાઇ બદલી.

ProudOfGujarat

અંકલેશ્વર પ્રાંત અધિકારી દ્વારા અરજદારોને કલાકો સુધી બેસાડી રખાતા કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ : વાલિયા-અંકલેશ્વર માર્ગ પર વટારીયા ગામ નજીક અકસ્માત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!