Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરાયું.

Share

આર.એસ.એસ. માંગરોળનાં સ્વવાહક અને સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા વાંકલ બજારમાં આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ વાંકલ બજારમાં આર.એસ.એસ. ના સ્વવાહક જગદીશ પટેલ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના ધર્મેશ વસાવા, ધવલ માલવિયા, સંકેત પટેલ વિગેરેનાઓ બજારમાં, સરદાર ભવન શોપિંગ સેન્ટરમાં શાકભાજીવાળા, દુકાનદારો, વેપારીઓને દુકાને દુકાને ફરી આર્યુવેદીક ઉકાળો પીવડાવી સરહાનીય કામગીરી કરી હતી. કોરોનાની મહામારીમાં લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય એ હેતુથી ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકાનાં ઉછડ ગામેથી સગીર બાળાનું અપહરણ કરી લઈ જનાર આરોપીને સુરેન્દ્રનગર જીલ્લામાંથી ઝડપી પાડતી ભરૂચ પોલીસ.

ProudOfGujarat

મણિપુરમાં હિંસા અને આદિવાસી સમુદાય પર થયેલા અત્યાચાર બાબતે ભરૂચ આદિવાસી સમાજે કલેકટરને આપ્યું આવેદનપત્ર

ProudOfGujarat

નડિયાદ ખાતે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!