Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ સિવિલમાં ફરજ બજાવતા ડૉ. અભિનવ શર્મા અને તેમની ટીમની સરાહનીય કામગીરી.

Share

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સને કોરોના પોઝિટીવ આવતા તેઓ હોમ આઇસોલેશનની સારવાર હેઠળ હતા તે દરમિયાન તેમનું ઑક્સીજન લેવલ આચનક જ ઓછું થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોકટરોની જહેમતથી સ્ટાફ નર્સ પટેલ સિદ્દીકાબેનની જાન બચી ગઈ.

ભરૂચની સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ નર્સ સિદ્દીકાબેન પટેલને ટૂંક સમય પહેલા કોરોના પોઝિટીવ થયો હોય તેઓ પોતાના ઘરે હોમ કોરન્ટાઇન હતા તે સમયે અચાનક જ તેમનું ઑક્સીજન લેવલ ઓછું થઈ જતાં તેમણે પોતાની આગળની બધી જ સારવાર ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લેવાનું પસંદ કર્યું આથી અહીં ભરૂચનાં સિવિલ હોસ્પિટલમાં તેમને માત્ર ચાર દિવસની ટ્રીટમેન્ટમાં સ્વાસ્થ્યમાં સુધારો આવી ગયો. ભરૂચ આઇ.સી.યુ માં ફરજ બજાવતા કોવિડ વોર્ડનાં ડૉ. અભિનવ શર્મા અને ડૉ. પરાગ પંડિયા દ્વારા તમામ દર્દીઓની ખૂબ જ સારસંભાળ લેવામાં આવે છે. સિદ્દીકાબેન જણાવે છે કે અહીં તમામ દર્દીનુ અત્યંત ઘર જેવા વાતાવરણમાં ડોકટરો અને નર્સ દ્વારા મોનીટરીંગ કરવામાં આવે છે. મારા સ્વાસ્થયમાં ખૂબ જ સુધારો થયો છે. તો ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોકટરો અને નર્સની કામગીરી સરાહનીય છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા નેત્રંગ રેલ્વે ભુતકાળનું સંભારણુ બનવાના આરે આદિવાસી પટ્ટીની સુવિધા લુપ્ત થવાની વાતે જનતા ચિંતીત…

ProudOfGujarat

અંકલેશ્વર- પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ગણીત અને વિજ્ઞાનની પ્રદર્શની યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!