Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલ લોકોમાં મ્યુકરમાઈક્રોસીસ નામની બીમારી ફેલાઈ..!!! જાણો વધુ.

Share

રાજ્યમાં કોરોને ખુબ જોર પકડ્યું છે તેવામાં સાજા થયેલ લોકોમાં મ્યુકરમાઈક્રોસીસ નામની બીમારી ફેલાતી જોવા મળી રહી છે ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેર બાદ મ્યુકરમાઈક્રોસિસનો ખતરો જોવા મળી રહ્યો છે, જેને બ્લેક ફંગ્સ પણ કહેવામાં આવે છે, જોઆ રોગની યોગ્ય સમય દરમિયાન સારવાર ન થાય તો આ બીમારી વ્યક્તિનો જીવ લઈ શકે છે. ગુજરાતના અનેક શહેરોમાં આ બીમારીનું પ્રમાણ વધતા લોકોએ પોતાની આંખો ગુમાવી છે. આ બીમારીમા દર્દીને સીધેસીધા આઇસીયુમાં દાખલ કરવામાં આવે છે.

ગુજરાતમાં લગભગ 800 થી વધારે મ્યુકરમાઈક્રોસીસના કેસો જોવા મળી રહ્યા છે કોરોના થયા બાદ મ્યુકરમાઈક્રોસીસનો ખતરો વધી જાય છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 125 જેટલાં દર્દીઓ આ બીમારી સામે સારવાર લઈ રહ્યા છે જેમાં દરરોજ 12 જેટલાં કેસો આ બીમારીને લગતા નોંધાઈ રહ્યા છે આ બીમારીથી 30% દર્દીઓના મોત થયાં છે. અન્ય રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ આ ગંભીર બીમારીમાં વધારો થઈ રહ્યો છે જે દર્દીને કોરોનાના નજીકનાં સમયમાં બીમારી થઈ હોઈ અને જે વ્યક્તિને ડાયાબિટીસ હોઈ છે કે જેને સારવાર દરમિયાન સ્ટીરોઈડ આપવામાં આવ્યું હોય અને દર્દીનું બ્લડ શુગર કંટ્રોલ ન હોય તેવા દર્દીનું ઇમ્યુનીટી પ્રમાણ ઓછું થવાને કારણે આ બીમારી થવાનો ભય રહેતો હોઈ છે. જો વ્યક્તિને લક્ષણ દેખાઈ અને વહેલી તકે સારવાર લે તો મુત્યુની ટકાવારી નહીવત છે.

Advertisement

Share

Related posts

જાંબુઘોડાના પ્રકૃતિ પ્રેમી પુષ્પેન્દ્રસિંહ રાઠોડે Facebook ના માધ્યમ વડે મિત્રોએ ભેગા કર્યા અને કરાવ્યું વનભ્રમણ

ProudOfGujarat

સુરેન્દ્રનગર-લખતર વચ્ચે દેદાદરા ગામ પાસે થયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું

ProudOfGujarat

પંચમહાલ : ઘોંઘબાનાં કાંટાવેડા પાસેના જંગલમાંથી વધુ એક દિપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!