Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોરોના યથાવત : જિલ્લામાં નવા 143 કેસ સાથે કોવિડ સ્મશાને 33 ને અગ્નિદાહ અપાયો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં દરરોજના 100 થી વધું કોરોના પોઝિટિવના કેસો સામે આવી રહ્યાં છે. જેની સામે રિકવરી રેસિયો પણ વધી રહ્યો છે જેને કારણે રાહત અનુભવાઇ રહી છે.

જિલ્લામાં કોરોનાથી મૃત્યુની સંખ્યા વધુ નોંધાઇ રહી છે. રોજના 30 થી વધુ લોકો કોરોના મહામારીના ઝપેટમાં આવવાથી મોતને ભેટી રહ્યાં છે.
ભરૂચ જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા 143 કેસ નોંધાતાં જિલ્લાનો કુલ આંક 8478 પર પહોંચ્યો છે. જેમાં ભરૂચમાં સૌથી વધુ 48, અંક્લેશ્વરમાં 39, આમોદમાં 11, નેત્રંગમાં 10, વાગરામાં 9, જંબુસરમાં 8, હાંસોટમાં 7 તેમજ વાલિયા અને ઝઘડિયામાં 5-5 કેસ નોંધાયો હતો. અત્યાર સુધીમાં 6802 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં 1591 એક્ટિવ કેસ છે. જિલ્લાના 3 દર્દીઓના ડેથ ઓડિટ રિપોર્ટ આવતાં સરકારી ચોપડે મૃત્યુઆંક 85 થયો હતો. જોકે, કોવિડ સ્મશાન ખાતે આજે મંગળવારે 33 લોકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ડાભા ગામે ઇંટોના ભઠ્ઠાના સંચાલકના ઘરમાંથી 1.57 લાખની ચોરી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક કે કાપડથી મોઢું – નાક ઢાંકવુ ફરજિયાત બનાવાયું, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ.

ProudOfGujarat

માતરીયા તળાવ ઝુપડપટ્ટી વિસ્તારમાથી સત્તા બેટીંગનો જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!