Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા ખાતે વનવિભાગનાં અધિકારીઓ-કર્મચારીઓએ કોરોનાની રસી મૂકાવી.

Share

કોરોના સંક્રમણ સામે સુરક્ષાના ભાગરૂપે રસીકરણની ઝુંબેશ તીવ્ર બનાવવામાં આવી છે, જે અંતર્ગત સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને તબક્કાવાર તમામ નાગરિકોને રસી આપવાનું અભિયાન પ્રગતિમાં છે. જિલ્લાના વિવિધ વિભાગોના કર્મચારીઓ અધિકારીઓને પણ રસીકરણ હેઠળ આવરી લેવામાં આવી રહ્યા છે.

આજે ગોધરા વન વિભાગ કચેરી ખાતે ગોધરા વન વિભાગના કર્મચારીઓનું પણ રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. ડી.સી.એફ મુરારીલાલ મીણાની આગેવાની હેઠળ આ નિમિત્તે ૮૦ થી વધુ વન કર્મીઓ-અધિકારીઓએ રસી લઇ પોતાને કોરોના સામે સુરક્ષિત કરવાની દિશામાં મહત્વનું પગલુ ઉઠાવ્યું હતું. ડી.સી.એફ. એ આ અંગે જણાવ્યું હતું કે સામૂહિક પ્રયાસો અને શિસ્તથી જ કોરોનાને હરાવી શકાશે તેથી સરકાર દ્વારા અપાતી સૂચના અનુસાર અચૂકપણે રસી લેવી જોઈએ અને અન્યોને પણ એ માટે પ્રેરિત કરવા જોઈએ. લાયક ઠરતા સૌકોઈ લાભાર્થીઓને નિઃશંકપણે રસીકરણ માટે આગળ આવવા અને એ રીતે કોરોના સામેની લડાઈમાં સહયોગ કરવા તેમણે અપીલ કરી હતી.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ઝઘડીયા : રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા અનાજની ૨૫૦૦ જેટલી કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપળા : કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખની પત્નીને વોર્ડનં ૦૭ માંથી ભાજપે ટિકીટ આપી.

ProudOfGujarat

અમદાવાદ : સારંગપુર બસ સ્ટોપ પાસેથી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!