Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ તેમજ શુક્લતીર્થનાં નવા વેક્સીનેશન સેન્ટર પર લોકોની ભીડ ઉમટી !

Share

હાલ કોરોનાએ શહેરો સહીત ગામડાઓમાં પણ કહેર વર્તાવ્યો છે. અનેક ગામો સુધી સંક્રમણનું પ્રમાણ વધતા તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં લોકોને ટેક્નોલોજી શું છે એ પણ ખબર નથી તેવા ગામોમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન વગર કોરોના રસી લેવી આવશ્યક છે જેમની પાસે એન્ડ્રોઇડ ફોન નથી તેવા લોકો માટે સરકારે શું કરશે ? શું તેવા લોકોને રસીકરણનો લાભ થશે ?

સરકાર દ્વારા બહાર પાડેલ ગાઇડલાઇન મુજબ નેત્રંગ અને શુક્લતીર્થ ગામમાં પણ વેક્સીનેશનનું કાર્ય ખુબ ઝડપથી થઇ રહ્યું છે પરંતુ જે લોકોએ આરોગ્ય સેતુ એપ દ્વારા જો ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હોય તેમને જ રસીકરણનો લાભ ઝડપથી થઈ રહ્યો છે અને અન્યોની લાંબી કતારોમાં ભર ઉનાળે ઊભા રહેવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. તેમજ ધક્કા ખાવાના વારા આવ્યા છે. જો આજ પ્રકારે વેકસીનેશન કેન્દ્રો પર ભીડભાડ વધશે તો તેના માટે જવાબદાર કોણ ? તે બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના વિવિધ વેકસીનેશન કેન્દ્રો પર લોકોની મોટી મોટી કતારો અને કોરોના ગાઈડલાઇનનાં ધજાગરા ઉડતા હોય તે સામે કુંભકર્ણની નિંદ્રામાં રહેલા તંત્રની આંખો કયારે ખુલશે તેવી બાબતો આ દ્રશ્યો જોયા બાદથી ટોક ઓફ ધી ટાઉન બની છે.

Advertisement

Share

Related posts

ઈસ્લામ ધર્મ ના મહાન હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી ને લઈ ભરૂચ ના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો મા આકર્ષક રોશની થી ઝળહળી ઉઠયા 

ProudOfGujarat

ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં ગઠિયાએ રસ્તા પર ચલણી નોટ નાંખી કહ્યું- તમારા પૈસા પડી ગયા છે, કારચાલક પૈસા લેવા ઊતરતાં ગઠિયો કારમાંથી રોકડની બેગ લઈ ફરાર

ProudOfGujarat

તંત્રની બેદરકારી : લીંબડીના ખાડીયાપરા વિસ્તારમાં વિજપોલમાં આગ ભભુકી ઉઠી : PGVCL માં કોલ કરવા છતાં કોઈ રિપ્લાઇ નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!