Proud of Gujarat
GujaratINDIALifestyle

તોઉ-તે વાવાઝોડું વધુ તાકાતવર બનતા ભરૂચ જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાયો.

Share

વાવાઝોડાને કારણે વીજ પુરવઠો અવિરત જળવાય રહે અને જો ડેમેજ થાય તો જેમ બને તેમ ઝડપી રીસ્ટોર કરી શકાય તેવુ પ્લાનિંગ કર્યુ છે. ડેમેજ કંટ્રોલ માટે ફાયર વિભાગ અને પ્રાઇવેટ ક્રેન સંચાલકો અને એપ્રેન્ટિસ કરતાં વિદ્યાર્થીઓને પણ મેન પાવર મેનેજ માટે મદદ લેવાશે. ભરૂચના ઇસ્ટ વિસ્તારમાં વૃક્ષોનું પ્રમાણ અન્ય વિસ્તારો કરતા વધારે છે.

ડીજીવીસીએલની ઓવરહેડ લાઇનને મોટા વૃક્ષોને કારણે વધુ નુકશાન થાય છે. ક્યારેક પવનને કારણે ડાળીઓ તૂટીને લાઇનને ડેમેજ કરે છે. કોવિડ હોસ્પિટલોમાં પણ વીજ પુરવઠો ડેમેજ બાદ ઝડપી રિસ્ટોર થાય તેવી વ્યવસ્થા કરી છે. વાવાઝોડું 95 કિમી કે તેથી વધુની ઝડપે પસાર થવાની શકયતા છે. વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના દરિયા કાંઠાના 30 ગામોના 3000 થી વધુ લોકોનું રાતે 7.30 કલાક સુધીમાં સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભરૂચ, આમોદ અને જંબુસર નગરમાં પણ કાચા મકાનો, ઝુંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. સંભવત સ્થિતિને લઈ રાહત અને બચાવ માટે NDRF ની 2 ટીમ વાગરા તેમજ જંબુસર તાલુકામાં સ્ટેન્ડ બાય રખાઈ છે. સાથે જ DGVCL, R&B, ફોરેસ્ટ, ST, ડીપ ઇરીગેશન, પંચાયત, 108, પોલીસની ટીમો પણ સ્ટેન્ડ બાય છે

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોનામાં સરાહનીય કામગીરી બદલ રોટરી ક્લબ ફેમિના ગ્રુપ દ્વારા કર્મચારીઓને સન્માનિત કરાયા.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીમાં ભાડભૂત ગામેથી સરફુદ્દીન તરફ આવતા અચાનક બોટ બંધ થતાં પાંચ ઇસમો ફસાઈ જતાં NDRF ની ટીમે રેસ્કયુ કરી બચાવ્યા.

ProudOfGujarat

અમૃતસરના સુવર્ણ મંદિરની અભિનેત્રી જ્યોતિ સક્સેનાએ લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!