Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દાંડિયા બજાર અને સિવિલ હોસ્પિટલમાં વાવાઝોડાને પગલે વૃક્ષ ધરાશાયી થયા !!

Share

વાવાઝોડું 95 કિમી કે તેથી વધુની ઝડપે પસાર થવાની શકયતા છે. વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના દરિયા કાંઠાના 30 ગામોના 3000 થી વધુ લોકોનું રાતે 7.30 કલાક સુધીમાં સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમ ભરૂચ પંથકમાં પણ દાંડિયા બજારથી સુથીયાપુરા જવાનાં માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું હતું પરંતુ મળતી માહિતી મુજબ કોઈને જાનહાની પહોંચી ન હતી તેમજ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર વૃક્ષ પડ્યા હતા.

શહેરમાં 50 થી વધુ સ્થળમાં વૃક્ષ પડીયા હતા. સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે તેમની મદદે આવતા તેમના ઘર પરિવારવાળા પોતાની ગાડીઓ પાર્ક કરે છે ત્યાં જ એક વૃક્ષ ધરાશાયી થયું હતું જે એક ગાડી પર પડતા ગાડીને નુકશાન થયું હતું. ભરૂચમાં ઠેર ઠેર વૃક્ષ પડવાના વિડિઓ સોશિયલ મિડીયા પર વાઇરલ થઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

પેટ્રોલ-ડીઝલનાં અસહ્ય ભાવવધારા સામે કોંગ્રેસ દ્વારા ઉમરપાડા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણા યોજી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ખાતે દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ બંધ રખાશે.

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર નર્મદા બ્રિજ ટોલનાકા નજીક થયેલી બોલાચાલીમાં ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડયો છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!