Proud of Gujarat
Uncategorized

વાંકલ : ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ની મહામારીમાં દુઃખદ અવસાન પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

Share

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીમાં આપણી આજુબાજુના વિસ્તારના તેમજ દેશ અને દુનિયાના ઘણા વ્યક્તિઓના આ કોરોનાની મહામારીમાં દુઃખદ અવસાન થવા પામેલ છે. આવા સદગત વ્યક્તિઓના કુટુંબીજનો પર આવી પડેલ દુઃખદ ઘટનામાં ભગવાન એમના પરિવારને સુખ શાંતિ આપે અને આ દુઃખદ પ્રસંગ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ.

આ કોરોનામાં દુઃખદ દિવ્ય મૃત્યુ પામેલ સર્વ ધર્મના લોકોની આત્માને પરમ શાંતિ મળે એવી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ પરિવાર તરફથી શ્રધ્ધાંજલી આપવામાં આવી. આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ, રામસિંહભાઈ, અશોકભાઈ, ભુપતભાઈ, સેમ્યુઅલ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ચેક રીટર્નના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

આમોદના દરબાર ગઢ વિસ્તારમાં ત્યજી દેવાયેલી બાળકી મળી

ProudOfGujarat

ભરૂચના જાણીતા તબીબ ડો. યુસુફ ઝનોરવાલાની પત્ની અને સાસુની તેમના પિતાએ જ નિર્મમ હત્યા કરતાં ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!