Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા: મહર્ષિ વાલ્મિકી ઉદ્યાન જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં…!

Share

ગોધરા નગરપાલિકા દ્વારા વર્ષ 2013-14 દરમ્યાન ગોધરા નગરના વિકાસના કામો માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લાખ્ખો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા તે લાખ્ખો રૂપિયા માથી ગોધરા પાવર હાઉસ પાસે આવેલ કુસુમ વિવેકનગર સોસાયટી સામે એક બગીચા બનાવવા માટે આયોજન નગરપાલિકા ના માજી પ્રમુખ રાજેશભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ જે સંદર્ભે બગીચાને સુશોભિત કરવા માટે રમતગમત ના સાધનો અને બગીચાની સુંદરતા વધારવા માટે મહર્ષિ વાલ્મીકી ઋષિ અને બંધારણના ઘડવૈયા ડૉ બાબા સાહેબ આંબેડકર ની મૂર્તિઓનું અનાવરણ ભાજપ ના પૂર્વ મંત્રી સ્વઃ ફકીરભાઈ વાઘેલા તથા હાલના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની અધ્યક્ષતામાં મહર્ષિ વાલ્મીકી બગીચા નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ હાલ આ બગીચાની માવજત અને જાળવણી અભાવ ના કારણે તેની ચારેય બાજુ ગંદકીનું સામ્રાજ્ય અને જંગલી વનસ્પતિ ઉગી નીકળેલ હાલતમાં જોવા મળી રહી છે.

Advertisement

ગોધરાના પાવર હાઉસ પાસે આવેલ કુસુમ વિવેકનગર સોસાયટી સામે મહર્ષિ વાલ્મીકી બાગ માં રમતગમત ના સાધનો આજુબાજુ માં લગાવેલ લાઈટીગ અને ફુવારા તેમજ મહર્ષિ વાલ્મીકી ઋષિ અને ડૉ બાબા સાહેબ આંબેડકર ની મૂર્તિઓનું જાળવણીના અભાવે ધુળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે ગોધરા માં આવેલ મહર્ષિ વાલ્મીકી ઋષિ બાગ કલ ચમન થા આજ વેરાન હો ગયા તેવી ખરાબ દુર્દશા છે પરંતુ તંત્રની માવજત અને જાળવણી ના અભાવે આજે બગીચાઓ ખંઢેર માં ફેરવાઈ ગયા છે બગીચાના વિકાસ માટે લાખોનો ખર્ચ પાણીમાં ગયો છે છતા તંત્રનું પેટનું પાણી હલતું નથી હાલમાં કોરોના ના કેસોમાં ઘટાડો થયો છે ત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. એ બધું બરાબર છે પણ આ બગીચાની જાળવણી અભાવે ચો-તરફ ગંદકીનું સામ્રાજ્ય અને મહા પુરુષો ની મૂર્તિઓ ધુળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે જેથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશો ની માંગ છે કે હાલમાં ચુંટાયેલા અને નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની આ બાગનું અને તેની બાજુમાં આવેલા મોર્નિંગ વોક ની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય નિર્ણય લે તે માટે ગોધરા ની સ્થાનિક લોકો રાહ જોઈ રહ્યા છે.
રાજુ સોલંકી પંચમહાલ


Share

Related posts

નડિયાદમાં વરસાદના હળવા ઝાપટા બાદ બફારો અને ઉકળાટ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ–૨૦૨૬”નો પ્રારંભ

ProudOfGujarat

ગાઝિયાબાદ : અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને ગોળીઓ વરસાવી : કાપડના વેપારી અને તેના બે પુત્રોનાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!