Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ વાયા ટંકારીયા – હિંગલ્લા માર્ગ બિસ્માર બનતા ગ્રામજનોએ એકત્ર થઇ તંત્ર વિરૂધ્ધ ભારે રોષ ઠાલવ્યો.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ વાયા ટંકારીયા થઇ ભરૂચ તરફ જતો માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં થઇ જતા વાહનચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. માર્ગ બિસ્માર બનતા ગ્રામજનોએ રવિવારે મોડી સાંજે ટંકારીયા માર્ગ પાસે એકત્ર થઈ તંત્ર વિરૂધ્ધ ભારે આક્રોશ વ્યકત કર્યો હતો.

ટંકારિયા ગામના યુવા કોંગી કાર્યકર અફજલ ઘોડીવાલાએ મિડીયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ૧૧ વર્ષથી આ માર્ગ બન્યો નથી. તેમજ અમે વારંવાર સંબંધિતોને રજુઆત કરી છે છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જો આ માર્ગને વહેલીતકે બનાવવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમોની ચીમકી પણ ઉચ્ચારી હતી.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરના બાકરોલ ગામ પાસે કચરાના ઢગલામાં આગ : લાશ્કરોએ દોડી આવી કાબૂ મેળવ્યો

ProudOfGujarat

હાંસોટ ખાતે જીઇબી ની વિજિલન્સ ટીમે રેડ કરતાં 16 લાખ 35 હજારની વિજચોરી પકડાઇ

ProudOfGujarat

રાજ્યમાં આજથી એસ.ટી. બસોને રાત્રી કર્ફયુમાંથી મળી મુક્તિ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!