Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકોને હાલાકી : સુરત વરાછાને જોડતું ગરનાળુ મેટ્રો ટ્રેનના કામકાજ માટે બંધ કરતા દરરોજનો ટ્રાફિક સર્જાયો : સ્થાનિક વેપારીઓના ધંધા પર માઠી અસર.

Share

સુરત વરાછાને જોડતું ગરનાળુ મેટ્રો ટ્રેનના કામકાજ માટે વગર નોટિસે બંધ કરતા ટ્રાફિક સર્જાય અને સ્થાનિક વેપારીઓમાં ધંધા ઉપર માઠી અસર પડશે. કોરોના કાળને બે વર્ષ જેટલો સમય થયો છે અને લોકડાઉન, અનલોક અને અલગ અલગ નિયમો તળે વેપારીઓની હાલત પણ દયનીય છે ત્યારે આ બધુ બંધ હતું ત્યારે અણધડ વહીવટ કરતા અધિકારીઓને ન સુજ્યું અને હવે માંડ માંડ ધંધા રોજગાર ખુલી રહ્યા છે ત્યારે જે કામ લોકડાઉન સમયગાળા દરમિયાન કરવાનુ હતુ તે જ કામ અનલોક બાદ હાથ ધરવામા આવ્યુ છે, જેથી સુરત મહનગરપાલીકાના વહીવટી તંત્રમા ચોક્ક્સપણે ગાબડુ દેખાય રહ્યુ છે.

ત્યારે આ ગરનાળાનું કામ યાદ આવ્યું અને વગર નોટિસે ઓચિંતા આજે કામકાજ ચાલુ કરતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો. સુરત સ્ટેશન અને સુમુલ ડેરીનો મુખ્ય રસ્તો હોવાથી વરાછા ગરનાળાથી લઈને કાપોદ્રા સુધી ટ્રાફિક જામ થઈ જાયે તેવી સ્થિતિ છે ત્યારે હાલ મળતી વિગતો મુજબ અધિકારીઓને પણ ભાન થયું અને કંઈક પોતે ભૂલ કરી છે તેવો ખ્યાલ આવતા હાલ પૂરતું વરાછા ગરનાળુ ખુલ્લું મૂકી દેવાયું છે ને મેટ્રો ટ્રેનનું કામ બંધ કરાયું છે. જેથી સ્થાનિક વેપારીઓ તંત્ર વિરુધ્ધ રોષે ભરાયા હતા.

Advertisement

જયદીપ રાઠોડ, સુરત.


Share

Related posts

ભરૂચ : નર્મદા સુગરની ચૂંટણી ટાણે ગામડાઓમાં ધમધમાટ.

ProudOfGujarat

નડિયાદના જવાહર નગર વિસ્તારમાંથી ચોરીના મોબાઈલ સાથે એક ઇસમ ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ : વાગરાના ધારાસભ્ય અરૂણ સિંહ રણાએ ભાડભુત બેરેજ યોજનાને લઇ કરી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!