Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે તળાવ નંબર 3 માં નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ વનવિભાગ દ્વારા 70 જેટલા પાંજરા મુકાયા.

Share

કોરોના મહામારીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કર્યા બાદ ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાવમાં આવ્યું છે અને રવિવારે 13 હજાર કરતા વધારે પ્રવાસીઓ આવ્યા છે, જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 17 જેટલા પ્રવાસીઓ માટે પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે અને તેમાંય તળાવ નંબર ત્રણમાં અમદાવાદથી કેવડિયા આવવા માટે પ્રવાસીઓ માટે સી પ્લેન સુવિધા શરૂ કરવામાં આવી હતી. જોકે આ સુવિધા હાલ તો બંધ છે પરંતુ વનવિભાગ દ્વારા સ્ટેચ્યુ પર આવતા પ્રવસીઓ માટે તળાવ નંબર 3 માં નૌકા વિહાર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રવાસીઓ આ નૌકા વિહારમાં બેસી તળાવમાં 3 કિમિ સુધી ફરવા જઈ શકે. પરંતુ અસંખ્ય મગર આ તળાવમાં છે અને નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ વનવિભાગ દ્વારા મગર પકડવા માટે 70 જેટલા પાંજરા મુકવામાં આવ્યા છે.

જોકે આ તળાવમાંથી અત્યાર સુધીમાં વનવિભાગ દ્વારા 200 મગરને પકડવામાં આવ્યા છે અને હાલ પણ આ નૌકા વિહારની સુવિધા વધારતા પ્રવાસીઓને કોઈ નુકશાન ન પહોંચાડે માટે પાંજરા મૂકી મગર પકડવાની કયાવત વનવિભાગે હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં સંગઠન મજબુત બનાવવા પર ભાર મુકાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં “ભૂખ્યાને ભોજન” નિઃશુલ્ક સેવાનો લાભ લેતા જરૂરિયાતમંદો.

ProudOfGujarat

ઝઘડિયાના જયશીલ પટેલની ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!