Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે તળાવ નંબર 3 માં નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ વનવિભાગ દ્વારા 70 જેટલા પાંજરા મુકાયા.

Share

કોરોના મહામારીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કર્યા બાદ ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાવમાં આવ્યું છે અને રવિવારે 13 હજાર કરતા વધારે પ્રવાસીઓ આવ્યા છે, જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 17 જેટલા પ્રવાસીઓ માટે પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે અને તેમાંય તળાવ નંબર ત્રણમાં અમદાવાદથી કેવડિયા આવવા માટે પ્રવાસીઓ માટે સી પ્લેન સુવિધા શરૂ કરવામાં આવી હતી. જોકે આ સુવિધા હાલ તો બંધ છે પરંતુ વનવિભાગ દ્વારા સ્ટેચ્યુ પર આવતા પ્રવસીઓ માટે તળાવ નંબર 3 માં નૌકા વિહાર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રવાસીઓ આ નૌકા વિહારમાં બેસી તળાવમાં 3 કિમિ સુધી ફરવા જઈ શકે. પરંતુ અસંખ્ય મગર આ તળાવમાં છે અને નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ વનવિભાગ દ્વારા મગર પકડવા માટે 70 જેટલા પાંજરા મુકવામાં આવ્યા છે.

જોકે આ તળાવમાંથી અત્યાર સુધીમાં વનવિભાગ દ્વારા 200 મગરને પકડવામાં આવ્યા છે અને હાલ પણ આ નૌકા વિહારની સુવિધા વધારતા પ્રવાસીઓને કોઈ નુકશાન ન પહોંચાડે માટે પાંજરા મૂકી મગર પકડવાની કયાવત વનવિભાગે હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ અને સ્વાસ્થ્યના સંગમ સમાન ‘જ્ઞાન ગંગોત્રી’ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ૪૪ બેઠક માટે કોંગ્રેસના ૨૦૦ દાવેદારો

ProudOfGujarat

ભરૂચના લક્ષ્મી નગર વિસ્તારમાં 22 વર્ષીય યુવાને ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું, તપાસ શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!