Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગાઝિયાબાદ : અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને ગોળીઓ વરસાવી : કાપડના વેપારી અને તેના બે પુત્રોનાં મોત.

Share

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ગત મોડી રાત્રે કેટલાંક અસામાજિક તત્વોએ એક કાપડના વેપારીના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. હુમલામાં વેપારી અને તેના બે પુત્રોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે વેપારીની પત્નીની હાલત ગંભીર છે. અસામાજિક તત્વોની હજી સુધી ઓળખ થઈ શકી નથી.

પોલીસ CCTV ફૂટેજની શોધખોળ કરી રહી છે. ઘટના લોની પોલીસ સ્ટેશન વિસ્તારના ટોલી શેરીની છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, હુમલો રિયાજ ઉર્ફે રિયાઝુદ્દીનના ઘર પર કરવામાં આવ્યો હતો. હજી સુધી પોલીસ તપાસમાં હુમલા પાછળનું કોઈ કારણ સ્પષ્ટ થયું નથી. આસપાસના લોકોમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

ઘટના સમયે લોકેશન પર જે લોકોના મોબાઈલ ફોન ચાલી રહ્યા હતા, તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. જલદી જ આ મામલે ખુલાસો કરવામાં આવશે. ગાઝિયાબાદના લોની પોલીસ સ્ટેશન વિસ્તારના બલરામ નગર વિસ્તારમાં 13 જૂનના રોજ વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી.
ઘરમાં જ દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા. તેમના પુત્રએ ઘરે લૂંટ થયાની વાત જણાવી હતી, પરંતુ બાદમાં ખુલાસો થયો કે તેણે જ પોતાનાં માતા-પિતાની હત્યા કરી હતી. પોલીસે દંપતીના પુત્ર રવિની ધરપકડ કરી હતી.


Share

Related posts

નેત્રંગમાં અંબે માં ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આવતીકાલે જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાશે.

ProudOfGujarat

સુરત : બિલ્ડર ગૌતમ પટેલના અપહરણ મામલે વરાછાના ઉદ્યોગપતિ મહેશ સવાણીના ચાર સાગરીતોની પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!