Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગાઝિયાબાદ : અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને ગોળીઓ વરસાવી : કાપડના વેપારી અને તેના બે પુત્રોનાં મોત.

Share

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ગત મોડી રાત્રે કેટલાંક અસામાજિક તત્વોએ એક કાપડના વેપારીના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. હુમલામાં વેપારી અને તેના બે પુત્રોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે વેપારીની પત્નીની હાલત ગંભીર છે. અસામાજિક તત્વોની હજી સુધી ઓળખ થઈ શકી નથી.

પોલીસ CCTV ફૂટેજની શોધખોળ કરી રહી છે. ઘટના લોની પોલીસ સ્ટેશન વિસ્તારના ટોલી શેરીની છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, હુમલો રિયાજ ઉર્ફે રિયાઝુદ્દીનના ઘર પર કરવામાં આવ્યો હતો. હજી સુધી પોલીસ તપાસમાં હુમલા પાછળનું કોઈ કારણ સ્પષ્ટ થયું નથી. આસપાસના લોકોમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

ઘટના સમયે લોકેશન પર જે લોકોના મોબાઈલ ફોન ચાલી રહ્યા હતા, તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. જલદી જ આ મામલે ખુલાસો કરવામાં આવશે. ગાઝિયાબાદના લોની પોલીસ સ્ટેશન વિસ્તારના બલરામ નગર વિસ્તારમાં 13 જૂનના રોજ વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી.
ઘરમાં જ દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા. તેમના પુત્રએ ઘરે લૂંટ થયાની વાત જણાવી હતી, પરંતુ બાદમાં ખુલાસો થયો કે તેણે જ પોતાનાં માતા-પિતાની હત્યા કરી હતી. પોલીસે દંપતીના પુત્ર રવિની ધરપકડ કરી હતી.


Share

Related posts

પ‍ાલેજ – નબીપુરમાં રેપિડ એક્શન ફોર્સની ફલેગ માર્ચ યોજાઇ…

ProudOfGujarat

ભરૂચ નગરમાં મિલકત વેરા વસુલવાની કડક કાર્યવાહી શરૂ. રૂપિયા ૧ લાખ કરતા વધુનો વેરો બાકી હોવાથી મિલકતો કરાઈ સીલ.

ProudOfGujarat

એકતા નગર ખાતે કેસૂડાના વૃક્ષોની બેજોડ સુંદરતા અને કુદરતના સાંનિધ્યએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ બનાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!