Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આજે મેઘરાજાનો વિરામ…

Share

નર્મદા જિલ્લામાં આજે જિલ્લાના કોઈ પણ તાલુકામાં વરસાદ નોંધાયો ન હોવાથી જિલ્લામાં મેઘરાજા એ વિરામ પાળ્યો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૫૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે, તિલકવાડા તાલુકો-૨૨૬ મિ.મિ.સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો -૧૪૪ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૯૯ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને સાગબારા તાલુકો-૬૫ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

Advertisement

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૩.૧૩ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૨.૦૬ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૭૯.૧૦ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૭૯.૮૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૨.૫૭ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

પાલેજના કિશનાડ ગામની સીમમાં આમોદના યુવકે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ.

ProudOfGujarat

રાજપીપલા જીતનગર ચોકડી પાસે આદિવાસી એક્તા પરિષદ દ્વારા 25 મું ત્રિ દિવસીય સાંસ્કૃતિક એક્તા મહાસંમેલન યોજાશે

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાનાં બળોલ ગામનાં સ્મશાન પાસે નાળામાંથી મૃત નવજાત શિશુ મળી આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!