Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવાગઢ મંદિર ખાતે બનાવેલી નવીન દિવાલનો ભાગ ધરાશાયી.

Share

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે નવીનીકરણ માટે બનાવેલ દીવાલનો એક ભાગ આજરોજ બપોરના સુમારે અચાનક ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી છે.

દીવાલનો ભાગ ખીણ વિસ્તારમાં ધરાશાયી થવાથી જાનહાનિ ટળી હતી પાવાગઢ મંદિરનું ચોગાન બનાવવા માટે ઊભી કરાયેલી દિવાલ આજરોજ બપોરના સુમારે એકાએક ખીણ વિસ્તારમાં આવેલ છાસિયા તળાવ તરફ જતા ખીણવાળા નીર્જન વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ હતી જોકે આ બનાવ સંદર્ભે કોઈ જાનહાનિ કે ઇજા થઇ ન હતી સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે નવીનીકરણ માટે બનાવેલ દીવાલ તાજી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ? જોકે દીવાલના કન્સ્ટ્રક્શનની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ઉમલ્લા બજારની રેલ્વે ફાટક મંગળ અને બુધવાર બે દિવસ રિપેરિંગ માટે બંધ રખાશે.

ProudOfGujarat

માંગરોળમાં લોકડાઉનનાં પગલે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ.

ProudOfGujarat

ગોધરા : કોરોનાની મહામારીમાં મદદે આવ્યા કોલેજનાં વિદ્યાર્થીઓ રકતદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!