Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવાગઢ મંદિર ખાતે બનાવેલી નવીન દિવાલનો ભાગ ધરાશાયી.

Share

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે નવીનીકરણ માટે બનાવેલ દીવાલનો એક ભાગ આજરોજ બપોરના સુમારે અચાનક ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી છે.

દીવાલનો ભાગ ખીણ વિસ્તારમાં ધરાશાયી થવાથી જાનહાનિ ટળી હતી પાવાગઢ મંદિરનું ચોગાન બનાવવા માટે ઊભી કરાયેલી દિવાલ આજરોજ બપોરના સુમારે એકાએક ખીણ વિસ્તારમાં આવેલ છાસિયા તળાવ તરફ જતા ખીણવાળા નીર્જન વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ હતી જોકે આ બનાવ સંદર્ભે કોઈ જાનહાનિ કે ઇજા થઇ ન હતી સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે નવીનીકરણ માટે બનાવેલ દીવાલ તાજી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ? જોકે દીવાલના કન્સ્ટ્રક્શનની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વાંકલ : માંગરોળ વિધાનસભા તાલુકા મથકથી વિકાસ કાર્યોનું કાર્ડ રજૂ કરાયું.

ProudOfGujarat

ગત રાત્રી ના સમયે મંગલમ રેસીડન્સી ના પાર્કીગમા આગ લાગતા ૬ મોટર સાયકલ બળી ને ખાખ

ProudOfGujarat

ભરૂચની શ્રવણ શાળામાં કલા વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!