Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : જુના બોરભાઠા બેટ ગામે સસ્તા અનાજના વેપારીની દાદાગીરી સામે પોલીસ ફરિયાદ કરાઇ.

Share

અંકલેશ્વર શહેરમાં આવેલ જુના બોરભાઠા બેટ ખાતે સસ્તા અનાજના દુકાનદાર દ્વારા જે સરકારી ભાવ છે તે ના લઈ વધુ ભાવ લઈ અનાજ અપાતું હોવાની તેમજ ઉદ્ધત વર્તન કરતો હોવાની ફરીયાદ કરવામાં આવી હતી.

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ, ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનના દુકાનદાર દ્વારા ગામ લોકો સાથે અનાજની રસીદ તેમજ પૂરતું અનાજ તેમજ કેરોસીન જેવી અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તા ભાવે આપવાની જગ્યાએ વધુ ભાવ લઈ આપવામાં આવે છે. તેમજ અનાજ લીધા પછી રસીદ માંગવામાં આવે તો ગમે તેમ વર્તન કરી ના પાડી દે છે નઇ તો પ્રિન્ટર બગડી ગયું છે તેવું કહી વાત ટાળી દેવામાં આવે છે.

ગામના યુવાનો દ્વારા સસ્તા અનાજની દુકાનદાર વિરૂદ્ધ તપાસ કરવાની ફરિયાદ કરતા આજરોજ તપાસ કરતા અધિકારીઓ આવી સસ્તા અનાજના દુકાનદાર તેમજ ગ્રામજનોનો જવાબ લેવાયો હતો. જવાબના અંતે ગ્રામજનો સાથે થતાં અન્યાય સામે ન્યાય મળે તેવી ગામના યુવાનો માંગ કરી રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

વડોદરામાં ટોલટેક્સ બચાવવા અપનાવેલ નુસખો ભારે પડ્યો: નકલી સીબીઆઈ ઓફિસર તરીકેનો ભાંડો ફૂટ્યો

ProudOfGujarat

ગોધરા : ક્ષત્રિય સમાજ દરબાર કેળવણી મંડળ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક વિતરણ કરાઇ.

ProudOfGujarat

ગુજરાત હવે બન્યું ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ, 3 દિવસમાં હજાર કરોડ રૂપિયા કરતાં વઘુનું ડ્રગ્સ પકડાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!