Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રેલ્વે સ્ટેશન નજીક માલગાડી સામે એક આધેડે જીવન ટુંકાવ્યું.

Share

અંકલેશ્વર પંથકમાં આપઘાતના રહસ્યમય કિસ્સાઓ ઘણા સામે આવી રહ્યા છે. કોરોના મહામારીની દહેશત મચાવનારી બીમારી બાદ લોકો પાસે ખાવા પેટે અને ઘર ચલાવા માટે પણ પૂરતુ મહેનતાણું ન મળતા લોકો આપઘાત કરી રહ્યા છે.

તે જ રીતે ગત બપોરે એક આપઘાતનો કિસ્સો અંકલેશ્વર રેલેવે સ્ટેશનની ઉત્તરે બન્યો હતો. અંકલેશ્વરમાં ગત બપોરના અઢી વાગ્યાની આસપાસ મુતુજા મોહમ્મદ અલી વોરા ઘરના મુખ્ય કે જેઓની ઉંમર લગભગ 51 વર્ષ હોય રહે. ઝમઝમ એન.આર.આઈ. સોસાયટી અંકલેશ્વર ભરૂચ નાઓએ કોઈ અગમ્ય કારણોસર માલ ગાડી આવતી જોઈ તેની સામે ઊભા રહી અને જીવન ટૂંકાવ્યું હતું.

Advertisement

પરિવારમાં માતમનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વર રેલેવે પોલીસને ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો. જીવન ટૂંકવાનું મુખ્ય કારણ અર્થે હાલ અંકલેશ્વર પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃત પામેલ બોડીને પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

નેત્રંગ : 95 ટકા દિવ્યાંગ બ્રિજેશ પટેલ માટે નેત્રંગ કેન્દ્રથી પરીક્ષા આપવાની ખાસ મંજૂરી બોર્ડ દ્વારા આપવામાં આવી.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં કોરોના નાબૂદી માટે 500 થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞોનુ આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

સુરત શહેરના ઉધના રોડ પર સંજય નગર પાસે બાઈક સવાર લૂંટારુએ રાહદારીને ચપ્પુ મારીને લૂંટવાનો પ્રયાસ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!