Proud of Gujarat
FeaturedGujaratINDIA

જૂનાગઢ: અસમાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ ઉતર્યા રસ્તા પર: જૂનાગઢ પોલીસે મામલો થાળે પાડ્યો

Share

જૂનાગઢમાં અસામાજીત તત્વોનાં ત્રાસથી વેપારીઓ રસ્તા પર ઉતરી આવતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. જેને પગલે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી મામલો થાળે પાડ્યો હતો.

જૂનાગઢના કાડિયાવાડ વિસ્તારમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. અસમાજિક તત્વો દ્વારા વેપારીઓની દુકાનમાં આવી સામાનની ખરીદી કરી તેના પૈસા પણ ચૂકવતા નથી. જો કોઈ વેપારી પૈસા માંગે તો છરી જેવા તિક્ષણ હથિયાર બતાવીને વેપારીઓને ધમકાવવામં આવે છે.

Advertisement

ત્યારે આ મામલે શુક્રવારે વેપારી એસોસિએશન દ્વારા દુકાનો બંધ કરી હડતાળ પર ઉતરી આવ્યા હતા તેમજ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જૂનાગઢ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ સ્થળ પર પહોંચી ગયા હતા અને વેપારીઓને આ અંગે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો.


Share

Related posts

કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને નર્મદા જિલ્લા વહીવટી-આરોગ્યતંત્ર સજ્જ.

ProudOfGujarat

વડોદરા : કરજણના માંત્રોજ ગ્રામ પંચાયતના તલાટીની વાવ ખાતે જિલ્લા ફેર બદલી થતાં મૂળનિવાસી એકતા મંચ દ્વારા વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

વડોદરામાં મોહરમના તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની બેઠક મળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!