Proud of Gujarat
FeaturedGujaratINDIA

જૂનાગઢ: અસમાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ ઉતર્યા રસ્તા પર: જૂનાગઢ પોલીસે મામલો થાળે પાડ્યો

Share

જૂનાગઢમાં અસામાજીત તત્વોનાં ત્રાસથી વેપારીઓ રસ્તા પર ઉતરી આવતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. જેને પગલે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી મામલો થાળે પાડ્યો હતો.

જૂનાગઢના કાડિયાવાડ વિસ્તારમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. અસમાજિક તત્વો દ્વારા વેપારીઓની દુકાનમાં આવી સામાનની ખરીદી કરી તેના પૈસા પણ ચૂકવતા નથી. જો કોઈ વેપારી પૈસા માંગે તો છરી જેવા તિક્ષણ હથિયાર બતાવીને વેપારીઓને ધમકાવવામં આવે છે.

Advertisement

ત્યારે આ મામલે શુક્રવારે વેપારી એસોસિએશન દ્વારા દુકાનો બંધ કરી હડતાળ પર ઉતરી આવ્યા હતા તેમજ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જૂનાગઢ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ સ્થળ પર પહોંચી ગયા હતા અને વેપારીઓને આ અંગે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો.


Share

Related posts

મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનશે આ ખેલાડી

ProudOfGujarat

સુરત : ટ્રાફિક એસીપી એલ.બી પરમારે કોરોનાને માત આપી ફરજ પર આવતા સ્ટાફ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ગરૂડેશ્વરના ચિચડિયા ગામે સગા ભાઈની હત્યાના કેસમાં બહેનને 7 વર્ષની સખદ કેદની સજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!