Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદથી મુંબઈ જતા પરિવારને કરજણ નજીક નડયો અકસ્માત : અકસ્માતમાં એક વ્યક્તિનું મોત બે વ્યક્તિ ઘાયલ.

Share

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર મુંબઈ જઈ રહેલા પરિવારની કારને અક્સ્માત નડ્યો હતો. અમદાવાદથી મુંબઈ જવા હોન્ડા એસેટ ગાડી જેનો નં. Gj-01-FT-5464 લઈ નીકળેલા પરિવારને કરજણ હા. નં.48 ઓસલામ ગામના પાટિયા પાસે અચાનક ડ્રાઇવરને જોકુ આવતા અથવા અન્ય કોઇ કારણોસર અક્સ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમા બે વ્યકિતઓને ઇજા પહોંચી હતી.

અજયભાઇ નટવરભાઈ વખારિયાનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા L & T ના જવાનો તેમજ કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા અજ્યભાઈના મૃતદેહને પંચક્યાસ કરી કરજણ સામુહિક આરોગ્ય હોસ્પિટલે પી.એમ. અર્થે ખાસેડવામાં આવ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

મેઘરજ લાલોડીયાના જંગલમાં નીલ ગાયનો શિકાર કરતા મોડાસાના ત્રણ ડફેરને દેશી બંદૂક સાથે ઝડપ્યા

ProudOfGujarat

ભરૂચ પોલીસ વિભાગ દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાયો

ProudOfGujarat

ઉમરપાડાના ગુલીઉમર ગામના વિજય વસાવાને વોઇસ ઓફ યુથ એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!