Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના ગણપતપૂરા ગામે કોરોનાના લીધે મૃત્યુ થયા હોય તે તમામ પરિવારોને મળીને આશ્વાસન આપ્યું.

Share

આજરોજ તા. ૦૩/૦૯/૨૦૨૧ નાં રોજ કરજણ તાલુકાના ગણપતપૂરા ગામે કોરોનાના લીધે મૃત્યુ થયા હોય તે તમામ પરિવારોને મળીને આશ્વાસન આપ્યું તથા કોવિડ-19 વાયરસની મહામારીને કારણે મરણ પામેલ વ્યક્તિના સ્વજનો પાસેથી જરૂરી વિગતો લઇ કોરોનામાં મૃત્યુ પામેલાઓના ફોર્મ ભરાવ્યાં ભરવામાં આવેલ છે.

મૃતકના પરિવારજનોએ કોરોનાને રોકવામાં તેમજ કોરોના સંક્રમિતોને સારવારમાં રાજ્ય સરકારની નિષ્ફળતા અને અણધડ વહીવટ નાલીધે તેમને વેઠવી પડેલ પારાવાર હાલાકીની ફરીયાદ કરી. સૌએ સરકાર પાસે ન્યાયની માંગણી કરી.કોંગ્રેસ પાર્ટી તરફથી તમામ મૃતકોના પરિવારજનોને ખાતરી આપી કે મૃતક દીઠ તેમના પરિવારજનોને રૂ.૪ લાખની સહાય, ખાનગી હોસ્પિટલોમાં સારવારના થયેલ બીલની ચુકવણી અને સરકારની ગુનાહિત બેદરકારીની ન્યાયીક તપાસ થાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.

ન્યાયયાત્રામાં વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ લતા સોની, સહેનાજ બેન,કરજણ તાલુકા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ અને કોંગ્રેસ ની મહિલાઓ જોડાયા હતા.

યાકુબ પટેલ,કરજણ

Advertisement

Share

Related posts

ચાવજ ગામ ખાતે ગુજરાત રાજ્યના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આંનદીબહેન પટેલના 77માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC વિસ્તારમાં વરુણ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી માંથી ખેડૂતો માટે ઉપયોગમાં લેવામાં આવતા રાસાયણિક ખાતરનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે થતો હોવાનો પર્દાફાશ…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પ્રધાનમંત્રીનો સ્વસહાયતા જુથોના મહિલા સભ્યો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!