Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના ગણપતપૂરા ગામે કોરોનાના લીધે મૃત્યુ થયા હોય તે તમામ પરિવારોને મળીને આશ્વાસન આપ્યું.

Share

આજરોજ તા. ૦૩/૦૯/૨૦૨૧ નાં રોજ કરજણ તાલુકાના ગણપતપૂરા ગામે કોરોનાના લીધે મૃત્યુ થયા હોય તે તમામ પરિવારોને મળીને આશ્વાસન આપ્યું તથા કોવિડ-19 વાયરસની મહામારીને કારણે મરણ પામેલ વ્યક્તિના સ્વજનો પાસેથી જરૂરી વિગતો લઇ કોરોનામાં મૃત્યુ પામેલાઓના ફોર્મ ભરાવ્યાં ભરવામાં આવેલ છે.

મૃતકના પરિવારજનોએ કોરોનાને રોકવામાં તેમજ કોરોના સંક્રમિતોને સારવારમાં રાજ્ય સરકારની નિષ્ફળતા અને અણધડ વહીવટ નાલીધે તેમને વેઠવી પડેલ પારાવાર હાલાકીની ફરીયાદ કરી. સૌએ સરકાર પાસે ન્યાયની માંગણી કરી.કોંગ્રેસ પાર્ટી તરફથી તમામ મૃતકોના પરિવારજનોને ખાતરી આપી કે મૃતક દીઠ તેમના પરિવારજનોને રૂ.૪ લાખની સહાય, ખાનગી હોસ્પિટલોમાં સારવારના થયેલ બીલની ચુકવણી અને સરકારની ગુનાહિત બેદરકારીની ન્યાયીક તપાસ થાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.

ન્યાયયાત્રામાં વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ લતા સોની, સહેનાજ બેન,કરજણ તાલુકા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ અને કોંગ્રેસ ની મહિલાઓ જોડાયા હતા.

યાકુબ પટેલ,કરજણ

Advertisement

Share

Related posts

संदीप सिंह ने कहा देश के लिए जीतना ही उनका परम उद्देश्य है!

ProudOfGujarat

ભરૂચ-મહંમદપુરા સર્કલ ખાતેના થાબલા પર લગાવવા માં આવેલ લાઇટ હવામાં લટકી-કોણે મુક્યા વિસ્તારના લોકોને અંધારામાં..જાણો લાઈટ બની ચર્ચાસ્પદ….

ProudOfGujarat

ભરૂચ તાલુકાના જુના તવરા ગામનાં શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!