Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રત્નેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવારે દિવ્ય શણગારના દર્શનાર્થે લોકો ઉમટી પડયા.

Share

અતિ પવિત્ર એવો શ્રાવણ માસ પૂર્ણ થયો છે ત્યારે શ્રાવણ માસના અંતિમ સોમવારે અંકલેશ્વર ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ ખાતે શિવલિંગનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના પ્રાચીન મંદિરો પૈકીના એક એવા રત્નેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવાર તેમજ શ્રાવણ માસ પૂર્ણ થયો હોવા નિમિત્તે ભગવાન શિવના દિવ્ય શણગારનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું જેના દર્શન માટે મોટી સંખ્યામાં વહેલી સવારથી લઇને મોડી સાંજ સુધી શિવભક્તો ઉમટી પડ્યા હતા અને શિવની આરાધના તેમજ ભક્તિ કરી હતી. ભક્તોએ શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવ આરાધના પૂજા અર્ચના તેમજ ભક્તિ કરીને મહાદેવના અદભૂત શણગારને જોઈને બિલીપત્રો ચઢાવી તેમજ દૂધથી શિવલિંગને સ્નાન કરાવીને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં અછાલિયા ગામે સોના-ચાંદીનાં દાગીના તેમજ રોકડ રકમ મળીને ૨૫ લાખ ઉપરાંતની ચોરી…

ProudOfGujarat

ગાંધીનગરનાં વિશ્વપ્રસિદ્ધ રૂપાલ વરદાયીની માતાની વર્ષો જૂની પરંપરા મુજબ લાખો લિટર ઘીનો અભિષેક કરાયો.

ProudOfGujarat

સરકારી જમીનમાં ગેરકાયદેસર રેતીનુ ખનન થતા હોવાનો આક્ષેપ સાથે જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!