Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના નંદેલાવ ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચના નંદેલાવ ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. બીલીમોરાના મૂર્ધન્ય કવિશ્રી ખંડુભાઈ ચૌહાણ તથા ઈખરના જાણીતા સમાજસેવક એહમદભાઈ મનભડ પટેલના સ્મરણાર્થે એક સ્મરણાંજલિ કાર્યકમ કવિશ્રી કે.કે.રોહિતના સદન નિવાસે જનશિક્ષણ સંસ્થાનના ડાયરેકટર શ્રી જૈનુદ્દીન સૈયદના પ્રમુખપદે યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે નંદેલાવ ગામના સરપંચ શ્રી રતિલાલ ચૌહાણ તથા સિવિલ હોસ્પિટલ ભરુચના ડૉ. આર.સી.મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કવિ જતીન પરમાર ‘અભિગમ’, ભગુભાઈ ભીમડા, પ્રવિણભાઈ ઈખરવી, યકીન ટંકારવી, જે .એન.વ્યાસે કવિતા થકી સ્વર્ગસ્થની યાદોને વાગોળી. ભરૂચના લોકગાયક ચીમનભાઈ પરમારે તથા હલદરવાના સંગીતકાર ચીમનભાઈ પરમારના તરન્નુમ થકી કવિઓની કવિતાને સંગીતમય રીતે રજૂ કરી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સજોદના આચાર્ય વિરેન ઘડિયાળીએ કર્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ અભિયાન અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો પ્રારંભ

ProudOfGujarat

ગોધરા : છેલ્લા ૨૮ દિવસોમાં કોઈ કોરોના પોઝિટિવ કેસો ન મળતા જિલ્લાના વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા.

ProudOfGujarat

ભરૂચના કૃષિ મહાવિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપિકાને “કૃષિ અર્થશાસ્ત્ર સંશોધન સમારોહ(AERA)”માં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!