Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના નંદેલાવ ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચના નંદેલાવ ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. બીલીમોરાના મૂર્ધન્ય કવિશ્રી ખંડુભાઈ ચૌહાણ તથા ઈખરના જાણીતા સમાજસેવક એહમદભાઈ મનભડ પટેલના સ્મરણાર્થે એક સ્મરણાંજલિ કાર્યકમ કવિશ્રી કે.કે.રોહિતના સદન નિવાસે જનશિક્ષણ સંસ્થાનના ડાયરેકટર શ્રી જૈનુદ્દીન સૈયદના પ્રમુખપદે યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે નંદેલાવ ગામના સરપંચ શ્રી રતિલાલ ચૌહાણ તથા સિવિલ હોસ્પિટલ ભરુચના ડૉ. આર.સી.મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કવિ જતીન પરમાર ‘અભિગમ’, ભગુભાઈ ભીમડા, પ્રવિણભાઈ ઈખરવી, યકીન ટંકારવી, જે .એન.વ્યાસે કવિતા થકી સ્વર્ગસ્થની યાદોને વાગોળી. ભરૂચના લોકગાયક ચીમનભાઈ પરમારે તથા હલદરવાના સંગીતકાર ચીમનભાઈ પરમારના તરન્નુમ થકી કવિઓની કવિતાને સંગીતમય રીતે રજૂ કરી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સજોદના આચાર્ય વિરેન ઘડિયાળીએ કર્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

પંચમહાલના ગોધરા ખાતે આવેલી પંચામૃત ડેરીના ના કોન્ફરન્સ હોલ ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ની તમામ કોલેજોને “નેક” (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઊન્સીલ )અંગેની માહિતી મળે તે માટે કુલપતિ ડૉ મહેન્દ્ર પાડલીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં જેમાં તમામ કોલેજના પ્રિન્સિપાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ProudOfGujarat

આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર સહિત તમામ અધિકારીઓએ શપથ લીધા.

ProudOfGujarat

આમોદ પાલિકામાં ત્રાહિત વ્યક્તિ દ્વારા નગરપાલિકાની સરકારી ફાઈલો ચેક કરતો વીડિઓ વાયરલ થતાં પાલિકામાં હડકંપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!