Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બેકાબુ બનેલ ઇનોવા કાર વૃક્ષમાં ભટકાઇ : ૪ ને ઇજા એકનું મોત.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રીના સમયે ભરૂચ, અંકલેશ્વર માર્ગ પર ભૂતમામાની ડેરી નજીક અકસ્માતની ઘટના બનતા એક સમયે ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી હતી, બેકાબુ બનેલ ઇનોવા કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર નજીકમાં આવેલ ખાડીમાં ઘુસ્યા બાદ વૃક્ષમાં ભટકાઇ હતી.

અચાનક સર્જાયેલ ઘટનાના પગલે કારમાં સવાર ૫ જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો બે જેટલા વ્યક્તિઓ અકસ્માત બાદ કારમાં ફસાઈ જતા તેઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા, ઘટનામાં ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, સમગ્ર અકસ્માતની ઘટના બાદ એક સમયે સ્થળ ઉપર લોકટોળા પણ જામ્યા હતા તો તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

ફેસબુક એકાઉન્ટ ઉપરથી આવતા કોલ રિસીવ કરતા ચેતજો ભરૂચનો વધુ એક યુવાન બન્યો ભોગ..

ProudOfGujarat

અંકલેશ્વરમાં વાહન ચોરીનું પ્રમાણ વધ્યું છે તમામ ધટના CCTV કેમેરામાં કેદ થઈ

ProudOfGujarat

ભરૂચ : ખેડૂતો એ જમીનનું વળતર ચૂકવવાની માંગ સાથે કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!