Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર : અણખી ગામે ગણેશ વિસર્જનમાં ન આવવા દેવા અંગે એક સમાજના લોકોએ અન્ય સમાજના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો.

Share

ભરૂચ પંથકમાં આવેલ જંબુસર તાલુકાનાં અણખી ગામે ગત 19 મી સપ્ટેબરને વિસર્જનના દિવસે જાતિવાદને લઈને એક ઘટના સામે આવી હતી. વસાવા પરિવારના સભ્યોને ગણેશ વિસર્જનમાં ન આવા દેવા માટે અન્ય સમાજના લોકો દ્વારા ખોટી રીતે માર મારવામાં આવ્યો હતો જેને લઈને પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર જંબુસરમાં આવેલ અણખી ગામના લોકો દ્વારા ગણેશ વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી હતી અને તેમાં દરેક સભ્ય આવે તે સ્વભાવિક વાત છે પરંતુ 15 જેટલા સભ્યો દ્વારા વસાવા પરિવારના માતા, પુત્રી અને પુત્રને ડીજે માં આવા દેવા માટે ના પાડવામાં આવી હતી અને તે બાદ પરિવાર ત્યાંથી ઘરે જવા પરત થયું હતું અને ઘરે પરત ફરતી વખતે દીકરીને તે જ લોકો દ્વારા લાફા મારવામાં આવ્યા હતા અને તેના ઘરે જઇને નુકશાન પહોચાડવામાં આવ્યું હતું જેમાં ઘરની હાલત બેહાલ તેમજ ટુ વ્હીલરને પણ નુકશાન પહોચાડવામાં આવ્યું હતું અને તેઓને અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને તે બાદ માતાને વધુ માર માર્યો હોવાને કારણે 108 એમ્બ્યુલન્સ બોલાવામાં આવી હતી અને જે તે લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સને ગામમાં પ્રવેશવા દેવામાં આવી ન હતી અને પરિવાર દ્વારા જંબુસર હોસ્પિટલ ખાતે લઈ જતાં તેઓએ ના પડી દીધી હતી અને વડોદરા લઈ જવાનું જણાવ્યુ હતું જે બાદ સારવાર માટે વડોદરા લઈ જતાં ખાસ સારવાર આપવામાં આવી ન હતી.

Advertisement

જે બાદ પરિવાર સારવાર માટે ભરૂચ સિવિલ ખાતે આવ્યો હતો ત્યાં પણ તેઓને સારવાર માટે ના પડી દેવામાં આવી હતી ત્યારે આવા પરિવારો સારવાર માટે જશે ક્યાં એ પ્રશ્ન ઊભો થાય છે.


Share

Related posts

મે મહિનાનું છેલ્લું અઠવાડિયું આ રાશિ માટે વરદાન સમાન, જુઓ તમને પણ મળશે શુભ પરિણામ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 219 ઉપર પહોંચી જયારે આજે બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

ProudOfGujarat

રંગરેલીયા-ભરૂચની પૂર્વ પટ્ટીના ભાજપ નેતાનો સેક્સ કાંડ, વીડિયો વાયરલ થતા હડકંપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!