Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય કિશાન સંઘ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનની નબીપુર પંથકમાં કોઈ જ અસર નહીં.

Share

છેલ્લા 10 મહિનાથી ચાલી રહેલા ખેડૂત સુધારણાના કાયદાના વિરુદ્ધમાં જુદા જુદા ખેડૂત સંગઠનો દ્વારા કાયદો પરત ખેંચવા માટે આંદોલન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે આજે 27 મી સપ્ટેમ્બર 2021 ના રોજ ભારતીય કિસાન સંઘ દ્વારા સવારથી દેશ વ્યાપી રસ્તા રોકો આંદોલનની જાહેરાત આપી હતી.

જેના કારણે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકની હદમાં આવતા તમામ જાહેર માર્ગો, નેશનલ હાઇવે ઉપર પૂરતો બંદોબસ્ત મૂકી દેવાયો છે. નબીપુર વિસ્તારમાં ભારત બંધની કોઇ જ અસર જોવા મળી નથી અને જનજીવન સામાન્ય છે. આમ જનતા પણ પોતાના કામધંધામા રાબેતા મુજબ વ્યસ્ત છે. ભારત બંધને નબીપુર પંથકમાં પ્રતિસાદ મળ્યો નથી. જનજીવન રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

લીંબડીમાં ડો.બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણમાં પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ.

ProudOfGujarat

સુરત ઉમરા ચોપાટી વિસ્તાર પાસે ટ્રાફીક પોલીસની ચેકીંગમાં દેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!