Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા આજથી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો.

Share

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની ગત તા. ૭ મીના રોજ મળેલ કારોબારી સભામાં થયેલા નિર્ણય મુજબ તલાટીઓના પડતર પ્રશ્નો બાબતે વારંવારની રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી. કારોબારીમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદન પાઠવી આગામી સમયમાં વિરોધ કરવાના તબક્કાવાર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

તેના અનુસંધાને આજે તા. ૧ લીના રોજથી ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના તલાટીઓ સવારે ૧૦ થી ૬.૩૦ સુધી માસ સીએલ પર ઉતર્યા છે. ઝઘડીયા તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા ઝઘડીયા તાલુકા પંચાયત કચેરી સામે આજરોજ માસ સીએલ પર ઉતરી તેમની માંગણીઓને લઇ બેનર સાથે ધરણાં તેમજ વિરોધ પ્રદર્શન યોજ્યુ હતુ. ઝઘડિયા તાલુકાના તમામ તલાટીઓ આજે ધરણાં તેમજ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૨૨૦૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે મૂખ્યમંત્રી વિજય રૂપાણી એ સ્થાપના દિનની ઉજવણી કરી.

ProudOfGujarat

ગર્વની વાત : ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલી એ.બી.એન.એન ફ્રેસ એક્ષપોટ દ્રારા ગુજરાતમાંથી સૌ પ્રથમ એક ટન ડ્રેગન ફૂટ યુ.કે મોકલાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!