Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ખુબ જ જટિલ અને જવલ્લેજ થતી મગજની એન્યુરિઝમ કોઇલિંગની સર્જરી થકી દર્દીને નવજીવન આપ્યું.

Share

ભરૂચના વતની ૪૫ વર્ષની મહિલાને મગજની નસ ફાટી જવાના કારણે (એન્યુરિઝમ રપ્ચર) બેભાન અવસ્થામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીનું ચીરા વગરનું ઓપરેશન કે જેમાં મગજની નસની અંદર એન્યુરિઝમ (નસના સોજા) વાળા ભાગમાં કોઇલ ફીટ કરી રક્તસ્ત્રાવ (બ્લીડીંગ) બંધ કરી, હેમરેજને અટકાવાયું અને દર્દીને નવું જીવન આપવામાં આવ્યું.

આ પ્રકારની જટિલ અને જવલ્લેજ થતી સર્જરી હોસ્પિટલના ફુલટાઇમ ન્યુરોસર્જન ડૉ. જયપાલસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી. ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર આ પ્રકારની સર્જરી થતા હવે દર્દીઓને મોટા શહેરો સુધી જવાની જરૂર રહેશે નહિ. ઉલ્લેખનીય છે કે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ઉપલબ્ધ અદ્યતન ઓપરેશન થિયેટર અને ન્યુરોસર્જરીના તમામ સાધનો થકી આ પ્રકારના ઘણા જટિલ ઓપરેશન શક્ય બન્યા છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ગોધરા SRP સામે આવેલ રાજાઈ સ્કેવરમાં આંતરરાષ્ટ્રીય લાયન્સ કલબ દ્વારા શિક્ષણક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર ઇન્દ્રવદનભાઈ પરમારને ચાણક્ય એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

ProudOfGujarat

અંકલેશ્વરના સજોદ ગામે બાળકોને ન્યુટ્રીશન કીટનું કરાયું વિતરણ.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!