Proud of Gujarat
FeaturedGujaratINDIA

પી.એમ મોદી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવિન PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે.

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે રાષ્ટ્રવ્યાપી સામુહિક ઇ-લોકાર્પણ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.કેયર્સ ફંડમાંથી રૂ.૮૦ લાખના ખર્ચે ૧.૮૭ મેટ્રીક ટન કેપીસીટીના PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ તા.૦૭/૧૦/૨૦૨૧ના રોજ થનાર છે.

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સવારે ૧૦-૦૦ કલાકે યોજાનારા આ ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. જેમાં કોરોના વોરિયર્સ અને વેકસિનેશનમાં પોતાનું યોગદાન આપનાર પદાધિકારીઓ – અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજયના કુલ ૧૮ સ્થળોએ PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થનાર છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ રાજ્યને આવરી લેવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ભડકોદ્રા ગામ ખાતે બેકાબુ કાર ચાલકે કાબુ ગુમાવતા નજીકની દુકાનોમાં ઘુસી જતાં અફરાતફરી સર્જાઈ.

ProudOfGujarat

ભારતને મળશે વિશ્વની પ્રથમ DNA આધારિત કોરોના વેક્સિન: ચાલી રહી છે ત્રીજા ફેઝની ટ્રાયલ

ProudOfGujarat

પંચમહાલ: શહેરાનગર પાલિકાની ટીમે ફરી એકવાર ઠંડાપીણા,ફરસાણની દુકાનો પર સપાટો બોલાવી અખાદ્ય ચીજવસ્તુઓનો કર્યો નાશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!